Abtak Media Google News

રોયલ પાર્ક ઉપાશ્રયમાં બુધવારે મેન્ટલી રીટાર્ડેડ તથા અંધ, મૂક, બધિર બાળકો દ્વારા પ્રેરણાત્મક કાર્યક્રમ

નમ્રમુનિ મહારાજ સાહેબના ૪૮માં જન્મોત્સવ નિમિતે તા.૨૩,૨૪, ૨૫ સપ્ટેમ્બરનાં ચંદનબાળા અઠ્ઠમ તપ ઉપરાંત તા.૨૬ થી ૩૦ સપ્ટેમ્બર પંચદિવસીય વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

૨૬.૦૯ને બુધવારે સવારે ૧૦.૦૦  કલાકે ડુંગર દરબારમાં ૨૬૦૦ વર્ષ પહેલા બેડીઓના બંધનમાં જકડાઈને અઠ્ઠમ તપ કરનાર સતી ચંદનબાળા દ્વારા પ્રભુ મહાવીરને બાકુળા વહોરાવવાની જે ઐતિહાસીક ઘટના ઘટી હતી, તે ઘટનાને તાદ્રશ્ય કરતી નાટિકાની પ્રસ્તુતિ બાદ તે જ ભાવથી બેડીઓના પ્રતિક‚પ બંધનમાં જકડાઈને, ત્રિદિવસીય ઉપવાસ, એકાસણા કે આયંબિલનું તપ કરનાર ભાવિકો સતી ચંદનબાળાના પરિવેશમાં હામાં સૂપડું લઈ પગમાં બેડીઓ અને અશ્રુધારા સો પૂજ્ય ગુરુ ભગવંતોના કરકમલમાં બાકુળા વહોરાવીને અંતર ભાવોની અભિવ્યક્તિ કરશે.

આ અવસરે વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસગૃહ, વિરાણી બહેરા મૂંગા સ્કૂલ, જીનીયસ સુપર કીડ્સ, મેન્ટલી રીટાર્ડેડ સ્પેશિઅલ ચાઈલ્ડ માટેની સંસ ‘પ્રયાસ’નાં બાળકો તેમજ અન્ય અંધ મૂક, બધિર બાળકો રાસ, નૃત્ય, ભક્તિ અને પ્રેરણાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરીને રાષ્ટ્રસંત પૂજ્યને જન્મદિવસની શુભેચ્છા આપશે.

તા.૨૬ સવારે  ૭:૦૦ કલાકે રોયલપાર્ક ઉપાશ્રયમાં દેશ-વિદેશનાં અનેક ભાવિકો પ્રભ ુભક્તિ દ્વારા પોતાનાં ભક્તિભાવને પ્રગટ કરશે. વિશેષમાં રાષ્ટ્રસંત પૂજ્યનાં જન્મોત્સવ અવસરે આયોજિત માનવતા મહોત્સવમાં ૩૦.૦૯ને  રવિવારે સવારે ૦૮:૪૫ કલાકે વર્ષમાં માત્ર એકવાર જ કરાવવામા આવતા રાષ્ટ્રસંત પૂજ્યનાં બ્રહ્મનાદી વિશિષ્ટ પ્રકારનાં ઉવસગ્ગહરં સ્તોત્રનાં જાપનાં આયોજન સો અનેકવિધ માનવતાનાં, જીવદયાનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમનો જન્મ અનેક જીવો માટે કલ્યાણનું કારણ બની રહ્યો છે, તેવાં પરમ ઉપકારી રાષ્ટ્રસંત પૂજ્યનાં જન્મોત્સવ અવસરે ભાવવંદના અર્પણ કરવા સર્વ કાર્યક્રમોંમાં સર્વને પધારવા સંઘે અપીલ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.