Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં એનએસયુઆઈએ શાળાઓની બહાર લોકોમાં ફી અંગેની જાગૃતિ લાવવા ઢોલ વગડાવ્યા હતા તેમ છતા શાળા દ્વારા ફી બાબતે દબાણ કરવામાં આવે તો એનએસ યુઆઈનો સંપર્ક કરવા ભલામણ કરી છે.

એનએસયુઆઇ દ્વારા ઘણા સમય થી શાળાઓ દ્વારા  ફી ઉઘરાણી બાબત નો વિરોધ કરવા આવી રહ્યો હતોને સરકાર દ્વારા શાળાની ફી બાબતે આદેશ આપવા માં આવ્યો છે કે જ્યાં સુધી શાળાઓ ખુલે નહી ત્યાં સુધી ફી માંગવી નહી આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા એનએસયુઆઇ દ્વારા ગામડામાં જે રીતે ઢોલ સાથે સાદ પડાવવામાં આવે એવી રીતે શહેર ની અલગ અલગ શાળાઓની બહાર અને અલગ અલગ વિસ્તારમાં સાદ પડાવવા માં આવ્યો કે જ્યાં સુધી શાળાઓ ખુલે નહી ત્યાં સુધી ફી માંગવી નહી અને કોઈ શાળા ફી માટે દબાણ કરે તો એનએસ યુઆઇનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.