Abtak Media Google News

કામ ધંધા બાબતે ઉશ્કેરાયેલા બે શખ્સોએ ધોકા વડે ઢીમ ઢાળી દીધું

જામનગરનાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા મજુર યુવાનની બે સગા કાકાએ લાકડાનો ધોકો ફટકારી હત્યા નિપજાવતા સનસનાટી ફેલાઈ જવા પામી છે. કામ ધંધા બાબતે ત્રણેય અપરણીત શખ્સો વચ્ચે ડખ્ખો થયાનું પ્રાથમિક તારણ કાઢી પોલીસે હત્યા સબબ ગુન્હો નોંધી તપાસ હાથધરી છે.

મળતી વિગત મુજબ જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં ત્રીજા ઢાળીયે એલ-૩૦, નં.૩૨૬૫ ખાતે રહેતા મહાવીરસિંહ ભાવેશસિંહ રાઠોડ નામના ૨૦ વર્ષનાં યુવાનની ગઈકાલે બપોરનાં ત્રણેક વાગ્યાના સુમારે તેના સગા કાકા વિક્રમસિંહ નારૂભા અને દોલુભા નારૂભાએ લાકડાનો ધોકો ફટકારી હત્યા નિપજાવી નાસી જતા સનસનાટી ફેલાઈ જવા પામી છે.

Img 20190513 Wa0050 1

આ બનાવની જાણ થતાં સીટી ડીવાય.એસ.પી જાડેજા, સીટી પીઆઈ રાઠોડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથધરી મૃતક યુવાનની લાશને જી.જી.હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે મોકલી આપી બંને સગા કાકા સામે હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો.

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ત્રણેય કાકા-ભત્રીજા સાથે રહેતા હોય અને કામ ધંધા બાબતે ડખ્ખો થતા ઉશ્કેરાયેલા બંને કાકાએ યુવાનનું ઢીમ ઢાળી દઈ બાદમાં મકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા. બીજી તરફ દેકારો થતા બંધ મકાન ખોલી જોયું તરત જ ૧૦૮ને બોલાવી પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસે બંનેને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.