Abtak Media Google News

રામકૃષ્ણ શેરી નં.પમાં વીજળીના ૩ થાંભલા ધરાસાયી થયા છે. આ વિસ્તારમાં આવેલું ગુલમહોરનું વૃક્ષ કે જેનું થડ પહેલેથી જ ખોખલુ હતું. વળી તેમાં પણ બે દિવસથી ભારે વરસાદ પડતા આ વૃક્ષ પડયુ હતું જે વીજ વાયરોની માથે પડતા સાથે ત્રણ થાંભલોઓ પણ પડયા હતા. જેમાના બે થાંભલા ત્યાં પાકીંગ કરેલી કાર પર પડયા હતા. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.

હાલ આ વિસ્તારમાં વિજળી ગુલ થઇ ગઇ છે. પીજીવીસીએલ દ્વારા વિજ પુરવઠાને યથાવત રાખવા કામગીરી શરુ કરી દેવાઇ છે. સાંજે ૭ વાગ્યા સુધીમાં વીજળ રાબેતા મુજબ ચાલુ થઇ જશે તેમ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.