Abtak Media Google News

ધુન, ભજન, ર્કિતન અને કષ્ટભંજન દેવની વિશાળકાય મૂર્તિની થાય છે પૂજા-અર્ચના.

સૌરાષ્ટ્ર વિસ્તારના સગાર કિનારે શોભતું ઘણા વર્ષો જુનુ ધામ બાલાચડી ગામ આવેલ છે. જે ઐતિહાસીક રુપી શ્રી કૃષ્ણ પરમાત્મા તથા દ્વારકા સાથે જોડાયેલ છે. જનો સવિસ્તાર ઇતિહાસ ખુબ જ વિશાળ અને પુરાનત હોવાથી વધુ ઉલ્લેખ ન કરતા આ સંસ્થાનું વર્ણન આપી તો બાલાચડી ગામની દક્ષિણ દીક્ષામાં અને ખીરી ગામથી ઉતર દિશામાં ખુબ જ વિશાળ અંતિ પુરાણો ટીબો (ગઢ) આવેલ જયાંથી પ્રાચીન સીકકા મળી રહેતા તથા આ સ્થાન દેખાવમાં જ ભયાવહ ભાસતું હતું. જુના જમાનાની ભવ્યતા ખંઢેરમાં બદલાઇ જતા આંખને અરૂચિકર દ્રશ્ય જોનારાને મુર્તિમાન થતા હતા. દિવર યા રાત્રિના સદીઓથી નિકળવાનું વિલંબીત પણે ત્યાં વિચારતા હતા.

આ જગ્યાને આસપાસ અનેક માણસોને અવનવા અનુભવો મળેલા અને અવનવા દ્રશ્યોના અવલોકનો પણ થયેલા જેના પરિણામ રુપે આ ક્ષેત્ર નિર્જન દશામાં જ રહેતું આજે એજ જગ્યાના દ્રશ્યો અવરોષોએ વર્તમાન સમયની સીમા વટાવી નવા સમયને નજીક લાવવાની ધારણા કરી છે. આજથી ત્રીસ વર્ષ પૂર્વે આ જગ્યાએ એક દિવસ આકસ્મિક રીતે એક સુપાત્ર સંત મહાત્મા શત્રુદતદાસજી મહારાજ આવી ચડયા. માનવ માત્રને રાક્ષસી જે ભૂમિ ભયંકર હતી તે જ ભૂમિમાં આ સંતની દિવ્ય દ્રષ્ટિએ દિવ્યતાના દર્શન કર્યા.

વિરલ પુરુષોને વિચારવાનું હોતું નથી  એ જ રીતે આ સંત એક નાના બાવળના ઝાડ નીચે પોતાના આત્મા સ્વરુપનું ઘ્યાન કરી અચળ આસન બીછાવી દીધું સમીર દેવ સંદેશક બન્યા અને સમાજ તેમજ સહકાર આપી એને મળે આ સંત ના સાનિદયમાં આવવા માંડયા ધન્ય છે. સંતોની ધારણાને એક દિવસના નિરંજન ભૂીમને અવલોકવા માણસ જયાં એક ડમગું થોભતો નહીં ત્યાં માનવ મેદની કીદીના દળ-કટક જેમ દેખાવા લાગી. ધુન-ભુજન, ર્કિતન અને હરી સ્મરણના મંગલ ઘ્વનિથી વાતાવરણને વસવાટ મંગળ બન્યા, જેની ફલિતરુપે આજે આ જગ્યા શ્રી રામ સેવા આશ્રમ ટ્રસ્ટના નામે ખ્યાતનામ બની ચુકી છે. શ્રી કષ્ટ ભજનદેવ વચિત્રવીર હનુમાનજી વિશાળકાય વૈઠી મૂર્તિની પુજા – અર્ચના થાય છે તેમજ અંતરિયાળમાં આવેલ આ આશ્રમમાં આવનાર માનવ માત્રને આશરે અને સંતોષથી ટુકડો મળે છે આ છે અંતરિયાળનું અન્નક્ષેત્ર…..

તરસ્યા તોય હાથી એ લોકોકિત મુજબ જગ્યાની રીતસરમ તેમજ સાધુનું સુપાત્રપણું જાણી બાજુના ગ્રામ ખીરીના દરબાર જાડેજા રાણુભા વિરાજીએ પોતાના કબજા ભોગવારાની જમીન બે એકર ૧૦ ગુંઠા તેમજ જાડેજા બાલુભા જેસંગજી તથા મોહબતસિંહ જેસંગજી તથા મંગલસિંહે જમીન બે એક શ્રી રામ સેવા આશ્રમને અપર્ણ કરેલ છે. ઉપરોકત જમીનનું રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રર કચેરીમાં તા. ૧૬-૧-૧૯૭૫ તથા બાલાચડીના ગરાસીયા વાઘેલા નાનબા માનસિંહએ પણ પોતાના વહીવટ કરતા પોતાના માલીકીની જમીન એકર ૭ (૧પ વિઘા) તલાવી જમીન તા. ૨૪-૫-૧૯૯૫ રજીસ્ટ્રર કચેરીમાં ઉપરોકત જમીન આપી શ્રી રામ સેવા આશ્રમ ટ્રસ્ટ ખીરી જગ્યાએ પાયો મજબુત બનાવવા ઉદારતા બતાવી છે. આ શ્રી રામ સેવા આશ્રમ ટ્રસ્ટ ખીરી જગ્યાની ચારેય તરફથી રસ્તાઓ નીકળે છે. જેથી સહદારીઓની અવર જવર રહે છે. અને દક્ષુપુરી પુરન્તા લઇને જાય છે. ૧૯૭૫ થી એક ભવ્ય સ્થાન આકાર લઇ રહ્યું છે. તો આપ આપની ફરજને સમજીનો થોડી વધતી તાકાત ને એકઠી કરી જરુર પરમાર્થનો પાયો પાકો કરવો જોઇએ. આવી મારી આવી સહુન અભ્યર્થના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.