Abtak Media Google News

ગવરીદળ પાસે તૂફાન અને બાઇક અથડાતા યુવકનું મોત: એક ઘવાયો

શહેરના સંત કબીર રોડ અને મોરબી રોડ પરના ગવરીદળ પાસે યમદુતનો પડાવ હોય તેમ ટ્રેકટરની ઠોકરે શ્રમજીવી પરિવારના આધારસ્થભ ચગદાયો હતો અને ગવરીદળ પાસે તૂફાન અને બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પેડક રોડના યુવાનનું મોત નીપજયનું પોલીસમાં નોંધાયું છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાના મવા સર્કલ પાસે આવેલા સાગર ચોક આરએમસી કવાર્ટરમાં રહેતા સંજય રતિભાઇ રાઠોડ નામના ૨૫ વર્ષના યુવાન જી.જે.૩કેએસ. ૪૪૬૫ નંબરના બાઇક પર સંત કબીર રોડ પર દુધેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે સામેથી પુર ઝડપે ઘસી આવેલા જી.જે.૩જેસી. ૦૫૨૬ નંબરના ટ્રેકટરના ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. મૃતક સંજય રાઠોડ ચાર ભાઇ અને બે બહેનમાં સૌથી નાનો અને માતાને શાકભાજીવેચવામાં મદદ‚પ બનતો હોવાનું જાણવા મળે છે. પી.એસ.આઇ. જે.આર.સરવૈયા અને રાઇટર સંજયભાઇ કુમારખાણીયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

જ્યારે પેડક રોડ પર લાખેશ્વર સોસાયટીમાં રહેતા કુવરસિંહ જગતસિંહ ખંગાર નામના ૨૧ વર્ષના યુવાન ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા પોતાના મિત્ર અર્જુન નારદમૂની ઠુમ્મર સાથે મજુરી કામે ગયો હતો અને જી.જે.૩ઇકે. ૭૯૨૩ નંબરના બાઇક પર મોરબી રોડ પર ગવરીદળ પાસે પહોચ્યો ત્યારે જી.જે.૩એફ. ૯૧૨૦ નંબરની તૂફાન જીપ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં કુમારસિંહ ખંગારનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.