રાજય સરકાર દ્વારા ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખરીફ પાક સિઝન ૨૦૧૯-૨૦ માટે ટેકાના ભાવે મુજબ મગળીની ખરીદી કરવા માટે રાજકોટ જિલ્લાના કુલ ૧૮ ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલુ છે. જે અન્વયે તા. ૧૮મી ડીસેમ્બરના રોજ એકજ દિવસમાં કુલ ૧૧૮ ખેડૂતોની રૂ. ૧,૨૯,૦૦,૦૦૦ (અંકે રૂપીયા એક કરોડ ઓગત્રીસ લાખ)ની મગફળીની ખરીદ કરી ઓનલાઇન ચુકવણું કરી આપવામાં આવેલ છે. જેમાં જસદણના ૯ ખેડૂતો, ઉપલેટાના ૧- ખેડુત, જેતપુરના ૧૪ અને ગોંડલ ૯૪ ખેડૂતોની મગફળીની ખરીદી કરાઇ છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૨ ખેડુતોને કુલ રૂ. ૧,૭૮,૫૯,૦૦૦/-ની રકમનું ચુકવણું ઓનલાઇન ધોરણે કરવામાં આવ્યું છે. તેમ રાજકોટ રાજય નાગરીક પુરવઠા નિગમ લી.ના રાજકોટ ખાતેના જિલ્લા મેનેજર ગ્રેડ-૧ જણાવ્યું છે.
Trending
- મુખ્તાર અંસારીના મોતની તપાસ થશે, DM એ આપ્યા આદેશ
- કૃતિ ખરબંદાના આ આઉટફિટ હનીમૂન વેકેશન માટે પરફેક્ટ છે…
- બાપ રે…. પુલકિત સમ્રાટએ પહેલી વખત ખીર બનાવીને સાસરિયા વાળાએ શું રીએક્શન આપ્યા!!!
- સોનું લેવું હોય તો હજી લઈ લેજો ,પછી કે’ તા નઈ કે રહી ગ્યાં!!
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.
- પોસ્ટર જોતાં જ લાગે છે કે રજનીકાંતની ફિલ્મ “થલાઇવા 171” ધમાલ મચાવશે
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?