Abtak Media Google News

મોદીનો નેપાળમાં બીજો દિવસ, મુક્તિધામ મંદિરમાં વગાડયો ઢોલ અને પૂજા-અર્ચના કરી.

 નરેન્દ્ર મોદીનો આજે નેપાળ મુલાકાતનો બીજો દિવસ છે. તેમણે અહીં મુક્તિનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને મંદિરના આગણમાં નેપાળનો ભાતીગળ ઢોલ વગાડ્યો હતો અને મંદિરમાં જય ને વિધિવાત પૂજા-અર્ચના કરી હતી.

Modi Nepal
pm MODI NEPAL

આજે તેઓ પશુપતિનાથ મંદિર પણ જશે અને ત્યાં પણ પૂજા અર્ચના કરશે, ગયકાલે મોદીએ જનકપુર મંદિરમાં મા સીતામદિરની પૂજા પણ કરી હતી. તે સાથે જ તેમણે જનકપુર-અયોધ્યા બસને લીલી ઝંડી બતાવી હતી. નોંધનીય છે કે, 4 વર્ષમાં મોદીની આ ત્રીજી નેપાળ મુલાકાત છે. ગયા મહિને જ નેપાળના વડાપ્રધાન તેમની પહેલી વિદેશ યાત્રામાં ભારત આવ્યા હતા. ભારત માટે નેપાળ સાથેનાં સંબંધો બહુજ મહત્વપૂર્ણ છે કારણકે ભારત અને ચીન વચ્ચે નેપાળએ મહત્વનો ચાવીરૂપ દેશ છે.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.