Abtak Media Google News

મોરબી: મોરબીમાં માતા રમાબાઈ આંબેડકર સમૂહલગ્ન સમિતિ દ્વારા આગામી તા.૨૯ને રવિવારના રોજ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૧ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડી લગ્નગ્રંથિથી જોડાશે.

મોરબીની માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ દ્વારા તા. ૨૯ ને રવિવારે સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૧ નવયુગલોના લગ્ન કરાવવામાં આવશે. આ સમૂહલગ્નમાં ઝાંઝરડાના યોગીનાથ બાપુ, ગુલાબદાસ બાપુ,  ઘોઘાવદરના શામળદાસ બાપુ, હળમતિયાના પ્રકાશ ગર , ટીંબડીના નારણદાસજી, ખાખરેચીના હીરદાસ બાપુ, વણકરવાસના રતનદાસબાપુ, પાટણના પ્રેમનાથ બાપુ,  હળમતિયાના નરેશ બાપુ ને બૌદ્ધનગરના હરી સાહેબ સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભાશિષ પાઠવશે.

આ સાથે લગ્નોત્સવમાં બ.સ.પાના પ્રદેશ અધ્યક્ષ અશોકભાઈ ચાવડા, જોઈન્ટ કમિશનર ઇન્કમ ટેક્સ રાજકોટ અરવિંદ સોનટકે, સમાજ કલ્યાણ અધિકારી બામસેફ પી એલ રાઠોડ ,મોહનભાઈ રાખૈયા, નિકેશકુમાર ઝૈન, મનીષભાઈ બગડા, મોરબી ટીડીઓ રાઠોડ, એ.વી. સોલંકી, ડો. આર.એમ. પરમાર, માળિયા ટીડીઓ શૈલેષ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.