Abtak Media Google News

પુત્રની ઉંમરના યુવકને પ્રેમજાળમાં ફસાવી અનૈતિક સંબંધનો કરૂણ અંજામ

પોરબંદર નજીકના ઓડદર ગામે એક મહિલાની તલવારના ઘા ઝીંકી હત્યા નિપજાવામાં આવી હતી. હત્યા કર્યા બાદ હત્યારાએ પણ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને પણ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

પોરબંદર નજીકના ઓડદર ગામે મહાજન ફળિયા વિસ્તારમાં આવેલ મોમાઈ માતાજીના મંદિર સામે રહેતા રાજુ દેવશીભાઈ આંત્રોલીયા (ઉ.વ.૨૮)એ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેની માતા લાભુબેન (ઉ.વ.૫૨)ને અગાઉ તે જ ગામમાં રહેતા ભુરા લાખા ઓડેદરા (ઉ.વ.૨૮) નામના શખ્સ સાથે પ્રેમસંબંધ હતો. જે સંબંધ તેની માતાએ તોડી નાખતા ભુરાને ગમ્યું ન હતું.

આથી શંકર મંદિરવાળી ગલીમાં ભુરો તલવાર લઈ અને ઉભો હતો અને લાભુબેન સાથે બોલાચાલી કરી અને તલવાર વડે ગળા પર ઈજા કરી હત્યા નિપજાવી હતી. હત્યા કર્યા બાદ ભુરાએ પણ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને પણ સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો છે. પોલીસે વધુ તપાસ હાથધરી છે. બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.