Abtak Media Google News

ઝેરી દવા પી યુવાને જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીની

જામનગરના નવાગામ ઘેડ, કે.કે.નગર વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતા એક યુવાને ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ પોલીસ દ્વારા કબ્જે કરાઈ છે. જેમાં તેની પત્ની રિસામણે બેઠી હોવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં કે.કે.નગર સોસાયટીમાં રહેતા શનીભાઈ ઉર્ફે બીટુભાઈ પ્રાગજીભાઈ પરમાર નામના ૨૭ વર્ષના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા પ્રાગજીભાઈ જીવરાજભાઈ પરમારે પોલીસને જાણ કરતા સીટી સી ડીવીઝન પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂ કરી હતી જે દરમિયાન મૃતકના પ્રસંગ નીચેથી મૃતકના હાથે લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જયાં પોતાની પત્ની વારંવાર રિસામણે માવતરે ચાલી જતી હોવાથી અને હાલમાં પણ પોતાના બે સંતાનોને લઈને માવતરે ચાલી ગઈ હોવાથી આત્મહત્યાનો રાહ અપનાવી રહ્યો છું. જેથી પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી લઈ તેનીનું નિવેદન નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.