જામનગરના કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાની જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ અંતર્ગત ૯ ગામોની યોજનાને બહાલી આપવામાં આવી હતી. જેમાં કાલાવડ તાલુકાના આણંદપર, સરાપાદર, નવાગામ, લાલપુર તાલુકાના ખાયડી (ભાગ-ર), જામજોધપુર તાલુકાના નંદાણા (ભાગ-ર), બાલવા (ભાગ-ર), જોડિયા તાલુકાના માવનું ગામ (ભાગ-ર, જામદૂધઈ (ભાગ-ર) અને બાલંભા (ભાગ-ર) ગામને માટે અંદાજિત કુલ રકમ ૧ર૯.૯૮ લાખની મંજુરી આપવામાં આવી હતી.જામનગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં હાલ સુધીમાં કુલ ૩૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ બેઠકમાં ૪૪ કાર્યકારી તાંત્રિક મંજુરી મળેલ ગ્રામ્ય પાણી વિતરણ યોજનાઓને રૃપિયા ૯૮પ.પ૮ લાખની વહીવટી મંજુરી અપાઈ હતી. આ યોજના અંતર્ગત કુલ ૪૮૦૧ નળજોડાણને પણ બહાલી આપવામાં આવી છે.આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા માહિતી અધિકારી વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
Trending
- શું તમે આ સુંદર જીવને જોયું છે?
- કાળઝાળ ગરમીમાં ટાઢક આપતા ‘તકમરિયાં’
- ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા “આંબલ વાળું” શ્રેષ્ઠ ઉપાય
- હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો, બજરંગબલી થશે ખૂબ જ ખુશ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ