Abtak Media Google News

વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર-રાજકોટ ઉપાશ્રય નિર્માણ અને જિર્ણોદ્વારના કાર્યમાં સેવારત છે. તાજેતરમાં મુંબઈના મીની કાશ્મીર જેવા પવઈમાં હીરાનંદાણી ગ્રુપ નિર્મિત બિલ્ડીંગમાં પહેલા માળે ગત વર્ષે એક બ્લોક લીધા બાદ બાજુનો બીજો બ્લોક લઈ લીધેલ છે. ટુંક સમયમાં નિર્માણ સંપન્ન થશે.

જયારે વર્ધમાન સ્થા.જૈન સંઘ વિરારમાં ઉપાશ્રય નિર્માણ મુખ્ય નામકરણનો લાભ છેલ્લા ૨૪ વર્ષથી વરસીતપ આરાધક મહેન્દ્રભાઈ મહેતાએ માતુશ્રી ગુલાલબેન કાનજીભાઈ મહેતાની સ્મૃતિમાં લીધેલ છે. ઘાટકોપર હિંગવાલા સંઘના ઉપપ્રમુખ લલિતભાઈ ઠકકર, મનસુખભાઈ કોઠારીના હસ્તે તેઓનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે ૧૫૦ સંત-સતીજીઓને સુપરડુપર આત્મા વ્યાખ્યાન સંગ્રહ અર્પણનો લાભ ધનલક્ષ્મી મહેતા તરફથી લેવામાં આવેલ. તેમજ ૪૦૦ પરિવારને શાસન પ્રગતિ આજીવન સભ્યપદ મહેતા પરિવાર તરફથી એનાયત કરાતા ઉમંગ છવાયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.