Abtak Media Google News

પૂ.તપાગચ્છાધિપતી પ્રેમસુરીશ્ર્વરજી મહારાજ સાહેબનાં ૯૯માં જન્મોત્સવ નિમિતે શહેરનાં વિવિધ સંઘો ધાર્મિક કાર્યક્રમોથી ધમધમ્યા હતા. આજરોજ જામનગર હાઈવે પર આવેલા ગુરૂપ્રેમનગરમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પૂ.તપાગચ્છાધિપતિ પ્રેમસુરીશ્ર્વરજી મ.સા.નાં ૯૯માં જન્મોત્સવની ભકતોની વિશાળ હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી.  આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સાહિત્યકાર સુખદેવભાઈ ગઢવી, યુવરાજ માંધાતાસિંહ, એડી.કલેકટર હર્ષદ વોરા, ધીરૂભાઈ સરવૈયા, રાજુભાઈ ચાવાળા, નરેન્દ્રભાઈ સોલંકી અને ડો.ભરત મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના વીશીનદાસજી હોલારામજી લખી પરિવારના દિલીપભાઈ લખીના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો..

Copy Of Dsc 0007Dsc 0034કાર્યક્રમ પૂ.પ્રેમસુરીશ્ર્વરજી મસાનું જીવન દર્શાવતા વીડિયોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે નિહાળીને તેમના શિષ્ય પૂ.કુલચંદ્રજી મ.સા. ભાવુક થઈ ગયા હતા.

Dsc 0063

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.