Abtak Media Google News

શભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ભાવનગરમાં નવા પાંચ કેસ નોંધાતાની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 69 થયા છે. તેમજ ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 6ના મોત નીપજ્યાં છે. સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં છે. દેશભરમાં આજે લોકડાઉનનો છઠ્ઠો દિવસ છે.

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લોકાડાઉનની અસર જોવા મળી છે. જોકે ઘણા ભાગો હજી પણ એવા છે જ્યાં લોકડાઉનની ગંભીરતા જોવા મળતી નથી. ત્યાં પોલીસ લોકોને સમજાવીને લોકડાઉન પાળવા સમજાવી રહી છે. બનાસકાંઠાના લાખણી ગામમાં દુકાનદાર સામે ફરિયાદ નોંધાઈ છે.

પશુ આહારની દુકાન બહાર ભીડ જામી હતી. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે મીડિયાને જણાવ્યું છેકે 69માં વિદેશ ટ્રાવેલ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. 33 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના 3થી 5 કિમિ તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.