રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકા ના નાની વાવડી ગામ માં એક થી દોઢ કલાક માં ૬ થી ૭ ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો તેના કારણે મગફળી ના પાક માં અને કપાસ ના પાક માં પાણી ભરાઈ ગયેલા છે અને એ પાણી ભરાઈ ગયેલા હોવાથી કપાસ તેમજ મગફળી ના મુળતંતુ ને જે નુકશાન કરે છે ને પાણી ભરાવાથી મુલકોશો સુકાઈ જાય અને ૫ દિવસ પછી કપાસ નિષ્ફળ જાય એવી સંભાવના છે ઉપરાંત પારા ધોવાઈ ગયેલા છે તેમાં માટી તેમજ મેટલ્સ નાખવાની ખેડૂત ને એક વિઘે ૧૫૦૦૦ નો ખર્ચો થશે. આ માટે તેઓ ગુજરાત સરકાર પાસે એવી અપેક્ષા રાખે છે કે ખેડુ ને થોડી સહાઈ કરે. ઉપરાંત તેઓ ને આ પાક મુદ્દે લાખો રૂપિયા ની નુકશાની થયેલ છે. ઉપરાંત તેઓ એ આ વાવણી ઉછી ઉધારિ કરી ને આ પાક ની વાવણી કરેલ છે તેમજ આ ગામ ના કેનાલ નું પાણી જે છોડવામાં આવે છે એ જમીન નું ધોવાણ કરે છે ને પાક ને નુકશાન કરે છે આનો નિકાલ તાત્કાલિક ધોરણે કરે તેવી સરકાર પાસે તેઓ ની માંગણી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ