Abtak Media Google News

આપઘાતનું કારણ અકબંધ: ત્રણ માસના સંતાને માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક

જસદણ તાલુકા બોઘરાવદર ગામે ખેત મજુરી કરતી પરપ્રાંતિય પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે ભાડલા પોલીસે નોંધ કરી તપાસ હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણના બોઘરાવદર ગામે પરીવાર સાથે મજુરી અર્થે આવેલી કુસુમબેન રાજેશભાઈ ગણાવા નામની ૧૯ વર્ષની પરપ્રાંતિય પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેણીને સારવાર અર્થે અહીંની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજયું હતું.

પરિણીતાના મૃત્યુથી તેના ત્રણ માસના સંતાને માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં અરેરાટી મચી ગઈ છે. આ બનાવ અંગે ભાડલા પોલીસ મથકના પીએસઆઈ આર.એ.ઝાલા અને એ.જી.માલકીયા સહિતના સ્ટાફે ફરિયાદના આધારે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.