Abtak Media Google News

વહિવટી સરળતા માટે એસ.પી. રાય દ્વારા બદલીનો આદેશ કરાયો

અમરેલી પોલીસ અધિક્ષક દ્વારા વહિવટી સરળતા માટે જીલ્લામાં ૮ ફોજદારોની અસર પરસ બદલી કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ પોસ્ટીંગ થયેલ જગ્યાએ તાત્કાલિક હવાલો સંભાળી આ ચાર્જમાંથી સંબંધ કરતાને મુકત કરી સંબંધિત કચેરીને જાણ કરવાની રહેશે.

બદલી પામેલ ફોજદાર એમ.એ.મોરીને બગસરાથી અમરેલી સીટી, ડી.કે.સરવૈયા, સાવરકુંડલા ‚રલમાંથી બગસરા, બી.વી.બોરીસાગર ચલાલાથી સાવરકુંડલા ‚રલ, વી.એલ.પરમાર મરીન પીપાવાવથી ચલાલા, એમ.એસ.ગોહિલ મહિલા પોલીસ સ્ટેશન અમરેલીથી સાવરકુંડલા ટાઉન, જે.એલ.ઝાલા અમરેલી સીટીથી સેકન્ડ અમરેલી તાલુકા પોલીસ, જી.પી.જાડેજા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જાફરાબાદ મરીન અને આર.યુ.ધામા જાફરાબાદ મરીનથી પીપાવાવ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.