ઉના-વેરાવળ રોડ પાસે બિનકાયદેસર પથ્થરની ખાણ લીઝ પુરી થતા પણ ચાલુ રાખેલ હોય જેની જાણ ઉનાના જમાદાર જે.જે.પરમાર દ્વારા તપાસ કરેલ ત્યારે અમોને જાણવા મળેલ કે સર્વે નં.૪૭૫ પૈકી પર કરાવેલ લીઝ કરાર ૨૦૧૪/૨૦૧૫માં પુરા થઈ ગયેલ છે. જેનું લીઝ હોલ્ડરનું નામ હિમતઝર મોહનગર સર્વે નં.૪૭૫ અને લીઝની મુજરીની તારીખ ૨૯/૯/૨૦૦૯ની છે અને લીઝની મુદત પાંચ વર્ષની હોય જેથી આ લીઝની મુદત ૨૦૧૪/૨૦૧૫માં પુરી થઈ ગયેલ હોય છતાં રોયલ્ટી પાસ પણ આપવામાં આવેલ છે. તમામ અધિકારીને ઉંધી ટોપી પહેરાવીને બેફામ ખનીજચોરી કરવામાં આવી રહી છે. આ મામલે ખાણ ખનીજ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. જેથી જમાદાર તપાસ કરવા જતા હોય તેને પણ ધાક ધમકી આપેલ હોય ખાણ ખનીજ પણ અમારું કંઈ જ નહીં કરી લે ખાણના પાર્ટનર ઉંચી વગ ધરાવતા હોય જેથી કોઈ તપાસ કરવામાં આવી નથી. અત્યારે પણ લોકોને ડરાવી ધમકાવી બેફામ ખનીજચોરી કરવામાં આવી રહી છે અને એ ઉના સીટીના નજીક બે કિલોમીટર દુર બેફામ ખનીજચોરી કરવામાં આવી રહી છે. જેથી તપાસ કરી ફરિયાદની એફઆરઆઈ કરવામાં આવે ખનીજ માફીયા સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તથા સજા અને દંડ થાય તાત્કાલિક ધોરણે તપાસ થયા એવી આરટીઆઈ હર્ષદ બાંભણીયા લેખિતમાં ફરિયાદ કરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક