Abtak Media Google News

ખેડૂતોને ચાર દિવસમાં પાણી આપી પાક વીમો ચૂકવવા માંગણી : જિલ્લા કલેકટરન

અપૂરતા વરસાદ છતાં સરકાર દ્વારા હળવદ  ધ્રાંગધ્રા સહિત ઝાલાવાડ ને અછતગ્રસ્ત જાહેર કરવામાં ન આવતા ધારાસભ્ય પરસોત્તમભાઈ છાબરીયા, લીંબડી ના ધારાસભ્ય સોમાભાઈ પટેલ,ચોટીલા ના ધારાસભ્ય ઋત્વિક  સહિતના ધારાસભ્યોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જો ચાર દિવસમાં હળવદ – ધ્રાંગધ્રા સહિત સુરેન્દ્રનગરનગરને અછતગ્રસ્ત જાહેર કરવામાં ન આવે તો જળ સમાધિ લેવા જાહેરાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ હળવદ, થાન, અને સુરેન્દ્રનગર વિસ્તારના ધારાસભ્યો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી આપવું, સત્વરે પાકવિમો ચૂકવવો અને હળવદ ધ્રાંગધ્રાને ચાર દિવસમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી ઉઠાવી હતી.

વધુમાં હળવદ વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ જણાવ્યું હતું કે હળવદ પંથકમાં ચાલુ સિઝનમાં પાંચ ઈંચ જેટલો પણ વરસાદ થયો નથી છતાં સરકાર દ્વારા હળવદ તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં નથી આવ્યો ઉપરાંત તાજેતરમાં ખેડુંતોના મશીન દેડકા ઉપાડી લેવામાં આવ્યા છે જેમાં અનેક નિર્દોષ ખેડૂતો પણ ભોગ બન્યા છે તો ખેડૂતોને અન્યાય ન કરવા પણ માંગણી ઉઠવાઈ હતી.

દરમિયાન જળસમાધિ અંગે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ જણાવ્યું હતું કે જો ચાર દિવસમાં ખેડૂતોના હિતમાં સરકાર પગલાં નહિ લે અને હળવદને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરે તો સ્થળ અને સમય જાહેર કરી જળસમાધિ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.