ગીર-સોમનાથ જિલ્લામાં આઇ.સી.ડી.એસ. વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા તા. ૧ થી તા. ૭ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમા સપ્તાહ દરમ્યાન તા. ૧ થી ૭ સુધી જન્મેલા બાળકોની માતા તથા કુટુંબ સાથે સ્તનપાનની સમજણ માટે વાર્તાલાપ, તા. ૨ ઓગષ્ટ ના રોજ સ્તનપાન વિષય જનજાગૃતિ, તા. ૩ ઓગષ્ટ નાં રોજ લોકલ ચેનલ દ્વારા સ્તનપાનનું મહત્વ, તા. ૪ ઓગષ્ટનાં રોજ ઉંબરે આંગણવાડી કાર્યક્રમ, તા. ૫ ઓગષ્ટ નાં રોજ કુપોષણ ઘટાડવા માટે કુટુંબ સામ્ય સાથે સ્તનપાનના ફાયદાની જાણકારી, તા. ૬ ઓગષ્ટ નાં રોજ નવજાત શિશુને સ્તનપાનના ફાયદા અને બહારના દુધથી થતુ નુકશાન અંગે જાણકારી અને તા. ૭ ઓગષ્ટ નાં રોજ તા. ૧ થી ૭ ઓગષ્ટ દરમ્યાન જન્મેલા બાળકોના ઘરે અને સગર્ભાના ઘરે વૃક્ષારોપણ કરી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. તેમજ આ ઉજવણી દરમ્યાન રીઝનલ કક્ષાએથી આર.ડી.ઓ., જિલ્લા કક્ષાએથી કલેકટર અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, સી.ડી. એચ.ઓ. સહિત જિલ્લાના અધિકારીઓ અને તાલુકા કક્ષાએથી તા. ૧ થી ૭ ઓગષ્ટ સુધીમાં નવજાત બાળકોના જન્મ થયા હોય એવા માતા અથવા કુટુંબ સાથે ટેલીફોનીક/વીડિયોના માધ્યમથી વાર્તાલાપ કરશે.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’