Abtak Media Google News

કિંગ્સ ઇલેવન પંજાબમાં ક્રિસ ગેઇલ જેવો આક્રમક બેટ્સમેન છે, જેણે આઈપીએલ-૧૧ની બધી ટીમો પોતાનામાં લેવા માગે છે, પણ ટીમની માલિક પ્રીતિ ઝિન્ટાની ઇચ્છા છે કે, મહેન્દ્રસિંહ ધોની તેની ટીમમાંથી રમે. પ્રીતિએ બુધવારે મજાકિયા અંદાજમાં પોતાની ટીમ સાથે જોડાયેલા મુદ્દા પર મુક્ત મને વાત કરી હતી

પ્રીતિએ કહ્યું કે, ગઈ વખતે ઇન્દોરમાં સારો પ્રતિભાવ મળ્યો છે. તે અમારું ઘરેલુ મેદાન છે, પરંતુ લોકો બીજી ટીમને ચિયરઅપ કરે છે. જો પ્રશંસકો તેમની ઘરેલુ ટીમનું મનોબળ વધારે તો ગમશે. આટલું કહીને પ્રીતિ અટકી ગઈ હતી. બાદમાં બોલી, હું એવો કોઈ પણ શબ્દ નહિ બોલું, જેને લીધે મારે આખું વર્ષ સફાઈ આપવી પડે. થોડી વાર વિચારીને કહ્યું, હું કહીશ કે અમારું ફાઇન ટ્યૂનિંગ બની રહ્યું નથી. આ સુરક્ષિત શબ્દ છે.

પ્રીતિએ કહ્યું કે, હું ઇચ્છું છું કે, કાશ એમએસ ધોની મારી ટીમમાં હોત, પણ જાણું છું કે તે સંભવ નથી. હું ૧૦ વર્ષ પહેલાં તેની ચાહક નહોતી, પરંતુ હવે તેની મોટી ફેન છું. તે હંમેશાં શાંત રહે છે, જરૂર પડે ત્યારે પ્રદર્શન કરે છે.

એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે, આ વખતે મેં તમામ ભગવાન બુક કરી દીધા છે. ઇન્દોરના ગણપતિ બાપા પાસે પણ મુરાદ માગીશ. અમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ કામ કરીએ ત્યારે પૂજા કરીએ છીએ. ફિલ્મ શરૂ થાય તો પણ પૂજા કરીએ છીએ, નારિયેળ વધેરીયે છીએ. એક વાર તો ભગવાનને મસ્કો મારવાનું બને છે.

યુવરાજસિંહ ફોર્મમાં નથી. તેના વિશે સવાલ પૂછવામાં આવતા પ્રીતિ ખફા થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, તે મેચ વિનર છે. તેણે દેશને વર્લ્ડ કપ જિતાડ્યો છે. લોકો કેટલીક ઇનિંગ્સ જોઈને તેના વિશે ખરાબ બોલે છે. આ ઠીક નથી. તેનું સમર્થન કરવું જોઈએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.