Abtak Media Google News

આજરોજ રાજકોટનું નામાંકિત સેવાભાવી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જયેશભાઇ ઉપાધ્યાય નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અનેક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે જયેશભાઇએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

લોકોના આશીર્વાદ અને મહાદેવ ના આશીર્વાદ મારી સાથે છે.હું સ્કૂટર લઈ ને હોસ્પિટલમાં આવ્યો છું ઘોડા જેવો થઈ ને અહીં થી બહાર નિકળીશ . લોકડાઉન દરમ્યાન બોલબાલા ટ્રસ્ટ દ્વારા દરરોજ ના 37 હજાર લોકોને ટિફિન પોહચાડવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

હંમેશા લોકોની મદદે જયેશભાઇ તત્પર રહ્યા છે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ તેઓ જલ્દીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. જયેશભાઇ  ઉપાધ્યાય હાલ સિનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.