Abtak Media Google News

વેસ્ટ ઇન્ડિઝના આક્રમક ઓપનર અને આઇપીએલમાં હવે કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમતા ક્રિસ ગેઇલનો આત્મવિશ્ર્વાસ કહો કે અહંકાર, પરંતુ તેણે ગુરુવારે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદને આ વખતની ટુર્નામેન્ટનો પહેલો પરાજય ચખાડ્યો ત્યાર બાદ તેણે જે કંઈ કહ્યું એ સમજવા જેવું તો છે જ. ગેઇલે એ દિવસે અંધાધૂંધ બેટિંગ કરીને ૧૧ સિક્સર તથા ૧ ફોરની મદદથી ૬૩ બોલમાં અણનમ ૧૦૪ રન બનાવ્યા હતા અને પંજાબને જિતાડ્યા પછી મેન ઑફ ધ મેચ પુરસ્કાર સ્વીકારતી વખતે પંજાબની ટીમના મેન્ટર વીરેન્દર સેહવાગનો એક રીતે આભાર માનતા કહ્યું હતું કે સેહવાગ, તેં ફેબ્રુઆરીની હરાજીમાં મને પંજાબની ટીમ માટે સિલેક્ટ કરીને આઇપીએલને બચાવી લીધી છે.જવાબમાં વીરેન્દ્ર સેહવાગે પણ જણાવ્યું હતું કે એજ મારો પ્લાન હતો કેટલાક ક્રિકેટપ્રેમીઓ ગેઇલના આ કથન તેની ડંફાશ તરીકે ગણતા હશે ગયા વર્ષની આઇપીએલમાં ૯ મેચમાં એક જ હાફ સેન્ચુરી ફટકારનાર ગેઇલને ફેબ્રુઆરીની હરાજીના પહેલા દિવસે એક પણ ટીમે નહોતો ખરીદ્યો અને બીજા દિવસે પંજાબે તેને બે કરોડ રૂપિયાની મૂળ કિંમતે જ ખરીદી લીધો હતો.ગેઇલ આ વખતે પહેલી બે મેચમાં નહોતો રમ્યો, પરંતુ ત્રીજી મેચ (જે ચેન્નઈ સામે રમાઈ હતી)માં તેણે મેચ-વિનિંગ ૬૩ રન ફટકાર્યા હતા અને ગુરુવારે હૈદરાબાદ સામે અણનમ ૧૦૪ રન બનાવવાની સાથે આ વખતની આઇપીએલના પહેલા સેન્ચુરિયન તરીકેનું નામ નોંધાવી દીધું હતું.  ગેઇલે મુલાકાતમાં કહ્યું હતું કે સામે ક્રીઝ પર કોણ ઊભું છે એ બોલરે બરાબર જાણી લેવું જોઈએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.