Abtak Media Google News

સિમ્પોલો ગ્રૂપના ૧૦૦ કર્મચારીઓ ત્રાજપર ચોકડી થી હાઉસિંગ સર્કલ સુધીના રોડની બન્ને બાજુએ કરશે સાફ સફાઈ

મોરબીમાં સિમ્પોલો સિરામિક્સ દ્વારા આવતીકાલે ત્રાજપુર ચોકડીથી હાઉસિંગ સર્કલ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં સિમ્પોલો જૂથના ૧૦૦ થી વધુ કર્મચારીઓ રસ્તાઓની સફાઈ કરશે.

સ્વચ્છ ભારત અભિયાનને સમર્થન આપવાના ભાગ રૂપે મોરબીના સીરામીક ક્ષેત્રના જાણીતા ગ્રૂપ સિમ્પોલો સિરામિક્સ દ્વારા આજે ત્રાજપર ચોકડીએથી હાઉસિંગ સર્કલ સુધી સફાઈ અભિયાન ચલાવવામાં આવશે.સિમ્પોલો જૂથના ૧૦૦ થી વધુ કર્મચારીઓ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને રોડની બન્ને બાજુ સાફ સફાઈ કરશે. સફાઈ અભિયાનમાં જોડાનાર તમામ લોકો ૪:૩૦ કલાકે ત્રાજપર ચોકડીએ એકઠા થશે. બાદમાં સાંજે ૫ થી ૭ સુધી સફાઈ અભિયાન ચલાવવામાં આવશે.

સિમ્પોલો સીરામિક્સના ચેરમેન જીતુભાઇ અઘારાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સફાઈ અભિયાનમાં જિલ્લા કલેક્ટર અને એસ.પી.નો સહયોગ પ્રાપ્ત થયો છે.આ ઉપરાંત આગામી દિવસોમાં મોરબી શહેરમાં સ્વચ્છતા અભિયાનની વિશાળ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. આજે ત્રાજપર ચોકડી ખાતે થી યોજાનાર સફાઈ અભિયનમાં જોડાવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ સિમ્પોલો ગ્રૂપના કલ્પેશ છાયાની યાદીમાં જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.