Abtak Media Google News

હાલમાં કોરોનાની સારવાર માટે અપાતી આ દવાઓની આડઅસર હ્રદયના ધબકારાઓ પર થતી હોવાનુ એક અભ્યાસમાં તારણ

વિશ્ર્વભરમાં માનવજાત માટે જોખમી બની ગયેલા કોવિડ-૧૯ના દર્દીઓ માટે અત્યારે હાઇડ્રોકસી કલોરોક કિવન અને એઝી થોમાયસીનની દવા અસરકારક ઇલાજ માટે વાપરવામાં આવે છે. આ બન્ને દવાઓ હ્રદયના ધબકારા અને તેના પરિચલન પર અસર કરતી હોવાથી હ્રદય રોગની સમસ્યા ધરાવતા સંક્રમિત દર્દીઓ માટે આ દવાના ડોઝ સાવચેતીથી આપવો જોઇએ. તેમ એક અભ્યાસમાં અમેરીકાના ન્યુયોર્કમાં કોવિડ-૧૯ ની સારવાર માટે રાખવામાં આવેલા ૮૪ દર્દીઓના અભ્યાસમાં કોવિડ-૧૯ ની દવાઓ હ્રદય રોગના દર્દીઓ પર અંજમાવતા પહેલા સાવચેતી રાખવાનું તારણ બહાર આવ્યું છે.

તાજેતરના નવા આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે એન્ટી મેલેરીયા દવા હાઇડ્રોકસી કલોરોકિવાઇન અને એન્ટિ બાયોટિક એઝીપ્રોમાઇસીન કોવિડ-૧૯ ના દર્દીઓ ની સારવાર માટે અસરકાર સાબિત થાય છે તેમ છતાં આ બન્ને દવાઓ હ્રદયના ધબકારા તેના પરિચાલ સંબંધી કેટલીક સમસ્યાઓ અને હ્રદયરોગયના દર્દીઓ માટે મૃત્યુ જેવા જોખમ પડી જવાની સમસ્યા અને બે ધબકારા વચ્ચેના અંતરનો અભ્યાસ કરી બે ધબકારા વચ્ચેના સમયમાં હ્રદય જે પુન: ઉર્જા મેળવી લે છે તે કયુટીસી ઇન્ટરવેલના સમયમાં આ દવાઓ બાધક બને છે. એર હાઇથિમિયાના કારણે દર્દીઓને તાત્કાલીક મોતને ધાટ ઉતારી છે છે.

ડયુટીસી ઇન્ટરવેલના અભ્યાસ માટે ૮૪ કોવિડ-૧૯ ના દર્દીઓને પાંચ દિવસ સુધી હાઇટ્રોકસીકખોરો કિવન અને પ્રોમાઇસીન દવાઓ આપીને લાયર જેકશન સહિતના વિજ્ઞાનિકોએ અવલોકન પત્ર બનાવ્યું હતું. જેમાં ૫૦ થી ૭૪ વર્ષના પુરૂષ દર્દીઓ સામેલ કરવામાં આવ્યા જેમાં આ અભ્યાસમાં હ્રદયરોગના દર્દીઓ પર આ બન્ને દવાઓની કેવી અસર પડે છે તેનો અભ્યાસ કરવામાં આવેલ હતો. હ્રદયરોગના દર્દીઓને દવા આપ્યા બાદ ઇલકટ્રોકાર્ડિયોગ્રામમાં આ દવાની અસર હ્રદયના બે ધબકારાઓ વચ્ચે થતી હોવાનું દેખાયું હતું. મોટાભાગના દર્દીઓ યુ.ટી.સી. માં હ્રદયરોગના દર્દીઓમાં અનિયમિત ધબકારા અને અકાળે મૃત્યુનું જોખમ રહે છે.

આ અભ્યાસમાં ચાર દર્દીઓના મૃત્યુ એરિહાઇ. મિયા કે કયુટીસી વગર જ મલ્ટીયર ઓર્ગન થેલ્યુટથી મૃત્યુ નિપજયા હતા. આ બધા દર્દીઓને કોવિડ-૧૯ ના ઇલાજ તરીકે હાઇડ્રોકસી કલોરો ડિવાઇન અને એજી થ્રોમાયસીન આપવામાં આવી હતી. આવી જ રીતે સાફર્સને કોવદ ના દર્દીઓ ને પણ આ સમસ્યાઓ લાગુ પડે, હ્રદયના બે ધબકારાઓ વચ્ચેનું અંતર કોવિડ-૧૯ ની સારવાર માટે વાપરવામાં આવતી હાઇટ્રોકસી કલોરોડિવાઇન અને એ.જી. થોમાયસીન ના ઉપયોગથી દર્દીઓમાં વધારાની બિમારીઓનો ઉદભવ કરે છે અને તેમને હ્રદયના ધબકારા સંબંધી સમસ્યાઓની દવાઓ આપવી પડે છે. અત્યારે દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓ માટે હાઇડ્રોકસી કલોરોકિવાઇન અને એઝી થ્રોમોયસીનનો વ્યાપક ઉપયોગ થાય છે ત્યારે આ બન્ને દવાઓના ઉપયોગથી હ્રદય રોગના દર્દીઓ પર અકાળે મૃત્યુ સુધીનું જોખમ ઉભું થાય છે તેવું સંશોધકોએ કરેલા અભ્યાસમાં તારણ બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.