Abtak Media Google News

બરસાના, નંદગામ, શ્રીમદ ગોકુલમા શ્રી કૃષ્ણની હોરી લીલાનું અવગાનનો લાભ મળશે

ગૌસ્વામી પરાગકુમારજી મહોદયના ૩૩મા પ્રાગટય દિવસ પ્રસંગે તા.૧૭ને શનિવારે હોરી ફૂલ-ફાગ રસીયા મહોત્સવ સર્વોતમ હવેલી ખાતે આરએમસી નં. ૬૯ ગ્રાઉન્ડ, અંબાજી કડવા પ્લોટ, શેરી નં.૨ ખાતે ઉજવાશે

વલ્લભકુળના પ.પા. ગોસ્વામી ૧૦૮શ્રી વલ્લભલાલજી મહારાજ આજથી ૬૦ વર્ષ પહેલા આ રાજકોટ ખાતે તેમના ધર્મની સ્થાપના કી હતી ત્યારબાદ ગોસ્વામી ગોપેશકુમારજી મહોદયના આત્મજ ગોસ્વામી પરાગકુમારજી મહોદયએ સવોતમ સેવા સંસ્થાન ૫૩ની સ્થાપના કરેલ જેમાં આ સંસ્થા સામાજીક તેમજ ધાર્મિક કાર્યમાં અગ્રેસર રહે છે.

સંસ્થા દ્વારા ગોસ્વામી પરાગકુમારજી મહોદયના ૩૩માં પ્રાગટય દિવસના ઉપલક્ષમાં હોરી ફૂલફાગ મહોત્સવ રસીયાનું ભવ્ય આયોજન કરેલ છે. જેમં ધમાર હોરી રસીયાનો અનેરો આનંદ ઉઠાવવા મહારાજ તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.

કાર્યક્રમ અંગે સુરેશભાઈ કણસાગરા ક્રિશ્ર્નાપાર્ક ગ્રુપ, ગીરધરભાઈ ટીલવા, ગીરીશભાઈ આદ્રોજા, રઘુરાજ સીસોદીયા, વૃજદાસ લાઠીયા, ભરતભાઈ સંચાણીયા અને છગનભાઈ વાછાણી સહિતનાએ ‘અબતક’ની મુલાકાત લઈ વિગતો આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.