Abtak Media Google News

ઈન્ડિયન આર્મીમાંથી સેવા નિવૃત્ત થતા રણજીતસિંહ ડોડીયાનું માદરે વતનમાં ભવ્ય સ્વાગત

સમગ્ર ગુજરાતનાં સંસદસભ્યોનું પોતાના લોકસભા વિસ્તારમાં દરેક સરપંચો દ્વારા સન્માન તેમજ અભિવાદન કાર્યક્રમ કરવાનું સરપંચ પરિષદ ગુજરાતનું એક લક્ષ્ય હતું જેના અનુસંધાને ગુજરાતનાં ચેરમેન જુવાનસંગ ડોડીયાનાં જિલ્લા સુરેન્દ્રનગરમાં તાજેતરમાં ચુંટાયેલા સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા તેમજ વઢવાણનાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલનું સુરેન્દ્રનગરનાં ખેરાળી ગામે ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું. સાથોસાથ ઈન્ડીયન આર્મીમાંથી પોતાની ફરજ પૂર્ણ કરી નિવૃત થતા ગામનાં યુવાન રણજીતસિંહ ભરતસિંહ ડોડીયાનું પણ એક આર્મીમેનને છાજે તેવું સન્માન કરવામાં આવેલ હતું. સેવા નિવૃત થતા રણજીતસિંહ ડોડીયા પોતાના માદરે વતન પરત ફરતાં રેલવે સ્ટેશન પર ૧૦૦ જેટલા બુલેટ, ખુલ્લી જીપ તેમજ અસંખ્ય લોકો સાથે રેલી સ્વ‚પે ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ડોડીયા કુટુંબનાં સુરાપુરા એવા મેપાભાનાં પવિત્ર પટાંગણમાં રાખવામાં આવેલ હતો. જેમાં સમાજનાં આગેવાનો જેવા કે વી.એસ.મોરી, જી.એસ.ડોડીયા, જશવંતસિંહ ડોડીયા, સામતભાઈ ડોડીયા, હકાભાઈ ડોડીયા સહિતનાં અનેક કારડીયા સમાજનાં આગેવાનો, ગ્રામજનો તેમજ નિવૃત આર્મીમેનો હાજર રહ્યા હતા. સરપંચ પરીષદનાં આ કાર્યક્રમને દિપાવવા અને સાંસદોનું સન્માન કરવા વડોદરાનાં સરપંચ પરિષદનાં પ્રમુખ નિખીલભાઈ પટેલ, અમરેલી સરપંચ પરિષદનાં પ્રમુખ અરવિંદભાઈ કાછડીયા, સોજીત્રા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ અશ્ર્વિનભાઈ પટેલ, સરપંચ પરિષદનાં દિનેશભાઈ પટેલ, આશિષભાઈ ટીલાવત તથા મહિલા સરપંચ સહિતનાં અનેક સરપંચો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને દિપાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.