Abtak Media Google News

લંડનમાં સરગમ ક્લબના શુભેચ્છકોને મળવા માટે ગયેલા પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનું સ્થાનિક રામબાપા સંસ્થા દ્વારા અને શ્રીનાથજી હવેલી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુઁ. ગુણવંતભાઈ લંડન ખાતે શ્રીનાથજી હવેલીમાં યોજાયેલા ભક્તિ ગીતોના કાર્યક્રમમાં મહેમાન તરીકે પણ ઉપસ્થિત રહ્યા હતા.

લંડનમાં રામબાપા સંસ્થા દ્વારા હનુમાન ચાલીસા કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થા દ્વારા દર રવિવારે આ પ્રકારનો કાર્યક્રમ યોજાય છે.આ કાર્યક્રમમાં ગુણવંતભાઈનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગુણવંતભાઈએ ઉપસ્થિત લોકોને સરગમની પ્રવૃત્તિથી વાકેફ કર્યા હતા અને રાજકોટની મુલાકાતે આવવા આમંત્રણ પણ આપ્યું હતું.

લંડનમાં વસતા ગુજરાતીઓ અને ખાસ કરીને સરગમ ક્લબના શુભેચ્છકોને મળવા માટે ગયેલા ગુણવંતભાઈએ લંડનમાં આવેલા જલારામ જ્યોત મંદિર તેમજ શ્રીનાથજી હવેલીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં ગુણવંતભાઈ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતાં. લંડનની પોતાની મુલાકાત દરમિયાન ગુણવંતભાઈ ડેલાવાળા પૂ. રામબાપા ઉપરાંત કલ્યાણજીભાઈ ઠકરાર, ચંદુભાઈ નથવાણી, કાંતિલાલ અમલાણી, જય ઠકરાર, મંજુલાબેન ઠકરાર, દીપકભાઈ ઝટાણીયા, જગદીશભાઈ મહેતા, પ્રભુદાસભાઈ મોદી, વાલજીભાઈ દાવડા, પ્રભુદાસભાઈ રૂપારેલીયા, ગીરીશભાઈ મશરૂ, ભાનુભાઈ વડેરા, શોભનાબેન ઠકરાર, જોશીલ ઠકરાર, બીપીનભાઈ  ટંકારીયા, ભારતીબેન ટંકારીયા, વાલજીભાઈ દાવડા, મનોજભાઈ પરમાર વગેરેને મળ્યા હતા અને સરગમ ક્લબની પ્રવૃત્તિ તથા રાજકોટ-ગુજરાતની વર્તમાન સ્થિતિ વિશે ચર્ચા કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.