Abtak Media Google News

ભારત વર્ષનાં આસ્થા કેન્દ્ર સોમનાથ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું બ્રહ્મસમાજ દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. મુખ્યમંત્રીનું મોમેન્ટો અને ફુલના ગુલદસ્તા સાથે બ્રહ્મ સમાજના આગેવાનો નરેન્દ્રભાઈ જાની (કનકાઈ મંદિર), મીલનભાઈ જોષી, નવનીતભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ જાની, જયદેવભાઈ જાની તેમજ છેલભાઈ જોષી દ્વારા સ્નેહસભર સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીનું પણ બ્રહ્મસમાજનાં અગ્રણીઓએ મોમેન્ટો અને શાલ અર્પણ કરી સોમનાથ સ્થિત વી.આઈ.પી. ગેસ્ટ હાઉસમાં સ્વાગત કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.