Abtak Media Google News

પીએમ ટ્રસ્ટ સંસ્કારીત ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગૂ‚ દેવના આજ્ઞાનુવર્તી ૯૩ વર્ષિય પૂ. નર્મદાબાઈ મ.સ. ઠાણા ૭ બિરાજે છે. પર્યુષણના કર્તવ્ય‚પ સ્વામી વાત્સલ્ય સંઘ ભકિત મધ્યે હરિહરહોલમાં એકાદ હજાર ભાવિકોના જયનાદે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના પત્ની અંજલીબહેન રૂપાણીનું સન્માન ધી‚ભાઈ વોરા, નલીનભાઈ બાટવીયા, તેમજ ડો. સંજય શાહ, અને જયશ્રી શાહે કંકણનો બોધ વ્યાખ્યાન સંગ્રહ અર્પણ કરીને કર્યા બાદ વર્ષોથી સાધર્મિભકિતના આયોજક દીપકભાઈ શેઠ તેમજ મુખ્ય દાતા નીતા કિશોર દોશી અને સહાયક દાતા નયના યોગેશ શાહનું રાજેન્દ્ર બાટવીયા, નીલેશ બાટવીયા, વીણાબહેન દોશી, પ્રફુલભાઈ રવાણીએ કર્યું હતુ

સંઘ સંરક્ષક રજનીભાઈ બાવીસીએ ઉત્સાહી કાર્યકરો અને ચંદ્રેશભાઈ મહેતાની જહેમતને બિરદાવી હતી. આ પ્રસંગે મોટા સંઘના પ્રમુખ ઈશ્ર્વરભાઈ દોશી, એડવોકેટ કમલેશ શાહ, વિનૂભાઈ શાહ સહિતના સંઘ પ્રતિનિધિઓએ શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.