Abtak Media Google News

જીટીયુ કુલપતિપદને મળેલી અંદાજીત ૮૦ હજારની ૪૮ ભેટ ઓનલાઇન વેંચી ફંડને મુખ્યમંત્રી કનયા કેળવણી નીધીમાં જમા કરશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ શિક્ષણની સાથે-સાથે દેશ વિકાસમાં સરકારને સહભાગી થવા માટે અનેક પ્રકારે કાર્યરત રહે છે, કોરોનાના કપરાકાળમાં પણ જીટીયુના દરેક કર્મચારીઓ દ્વારા યથાયોગ્ય ફંડ મુખ્યમંત્રી રાહત નીધિમાં જમા કરાવીને પહેલ કરી હતી. તે જ રીતે ક્ધયા કેળવણી માટે પણ જીટીયુ સતત અગ્રેસર રહે છે. જેના ઉપલક્ષે જીટીયુ, કુલપતિપદને મળેલ ભેટ સોગાદોને વેચીને મેળવેલ ફંડનો ઉપયોગ ક્ધયા કેળવણી માટે કરવાનો નિર્ણય જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ દ્વારા કરવામાં આવેલ છે. આ સંદર્ભે કુલપતિએ જણાવ્યું હતું કે, સન્માન હંમેશા પદનું થતું હોય છે, વ્યક્તિનું નહીં. જેથી કરીને કુલપતિપદને મળેલ તમામ ભેટ સોગાદોને જાહેર જનતાને ખરીદવા માટે અપીલ કરવામાં આવે છે. તેમાંથી પ્રાપ્ત થયેલ ફંડને મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નીધિમાં જમા કરાવવામાં આવશે.

Img 20201126 Wa0007જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેરે પણ કુલપતિના આ નિર્ણને સહર્ષ વધાવી લઈને દરેક જાહેર જનતાને જીટીયુના આ નિર્ણયમાં સહભાગી થવા માટે અપીલ કરી છે. જીટીયુ, કુલપતિપદને વિવિધ જાહેર સમારંભમાં મળેલ ૪૮ જેટલી ભેટ સોગાદોને  જાહેર જનતા માટે ઓનલાઈન વેચીને તેમાંથી મેળવેલ અંદાજીત ૮૦૦૦૦ના  ફંડનો ઉપયોગ ક્ધયા કેળવણી માટે કરશે. આ ભેટ સોગાદોમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી, અશોકસ્તંભ, ચરખો,  સીદી સૈયદની ઝાળી જેવી વિવિધ પ્રતિકૃતીઓ , ચાંદી અને સોનાના ઢોળ ચઢાવેલ રાણીછાપ સિક્કા , વિવિધ ફોટોફ્રેમ અને મૂર્તિઓને ઓનલાઈન વેચવા માટે મૂકવામાં આવી છે. જાહેર જનતા આ ભેટ સોગાદોને જીટીયુની વેબસાઈટની  http://vcgift. gtu.ac.in/  લિંક પરથી આગામી ૩૧ ડિસેમ્બર સુધી ઓનલાઈન ખરીદી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.