Abtak Media Google News

કેળવણીકાર જેઠાભાઈ પાનેરાના માર્ગદર્શન હેઠળ ચાલતી જે.એમ.પાનેરા શૈક્ષણિક સંકુલ માણાવદર દ્વારા માણાવદર કેળવણી મંડળના પ્રમુખ જેઠાભાઈ પાનેરાના અધ્યક્ષ સ્થાને માણાવદર નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ જગમાલભાઈ હુંબલનો સત્કાર સમારોહ તેમજ માણાવદર પી.એસ.આઈ હેરભાનો વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. બંને મહાનુભાવોને હાર, મોમેન્ટ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે જેઠાભાઈ પાનેરાએ જણાવ્યું હતું કે, આ સંસ્થા કાયમ માટે સારા કાર્યો કરનાર વ્યકિતઓને પ્રોત્સાહન પુરુ પડવાનું કામ કરતી રહેશે. જયાં જરૂર પડશે ત્યાં જેઠાભાઈ તન, મન, ધનથી સાથે રહેશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણભાઈ સોલંકીએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.