Abtak Media Google News

નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં પૂર્વ ભારતની ત્રણ દિકરીઓ દીક્ષાના કલ્યાણદાન પામશે

દિવસોના દિવસોથી કોલકતાના ભાવિકો જે કલ્યાણ અવસરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ અવસર કોલકતામાં ૩૮ વર્ષ બાદ, દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં આજીવન સમર્પિત કરવા થનગની રહેલાં મુમુક્ષુ હિરલબેન જસાણી (કોલકતા), મુમુક્ષુ  ક્રિષ્નાબેન હેમાણી (કોલકતા), મુમુક્ષુ ચાર્મીબેન સંઘવી (ઝરીયા)નો ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના આયોજનોની હારમાળા યોજાશે .

એક સુવર્ણ ઇતિહાસનું સર્જન થશે ૦૯.૧૧.૨૦૧૯ જ્યારે ત્રણ મુમુક્ષુ આત્માઓના સંસાર ત્યાગ ભાવની અનુમોદના કરતાકોલકતાના રાજમાર્ગો પરશાસન ધ્વજ લહેરાવતી શોભાયાત્રા અનેકોમાં પ્રેરણાં આપતાં ભવ્ય ફ્લોટ્સ, રાસ મંડળીઓ, વિવિધ પ્રકારનાં બેન્ડના ગુંજારવ તેમજ  કોલકત્તાની શાન એવી  સજાવેલી ટ્રામમાં દીક્ષાર્થીઓને બિરાજમાન કરીને આ શોભાયાત્રા સવારે ૦૭:૩૦ કલાકે ટોલીગંજ ઉપાશ્રયથી પ્રારંભ કરવામાં આવશે, જે કોલકાતાના  નવલખા ઉપાશ્રય મોટા સંઘના આંગણે પહોંચતા ત્યા દીક્ષાર્થી સન્માન સમારોહ યોજાશે.

૧૦મીએ હેતલબેન મિલનભાઈ શાહના નિવાસ સ્થાનથી ગૌરવવંતી શાસન પ્રભાવના યાત્રાનો પ્રારંભ થશે જે કામાણી જૈન ભવન પહોંચતા જ સ્વજન સન્માન સમારોહનું આયોજન થશે.

૧૪મીએ સવારે૮:૦૦ કલાકે અનન્ય ગુરુભક્ત, વૈષ્ણવ પરિવારના હેતલબેન હેમંતભાઈ હરખાણીના આવાસ સ્થાનેથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.૮:૩૦ કલાકે સ્વસ્તિક વિધિ કાર્યક્રમ અને સંસ્થા સન્માન બાદ રજોહરણ નાટિકા અને ત્યારબાદ દીક્ષાર્થીઓ દ્વારા બેઠું વર્ષીદાનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાંજના ૦૭:૦૦ કલાકે સાધક સાધના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૫મીએ સવારે૮:૩૦ કલાકે રજતતુલા વિધિ, સવારે ૧૦:૩૦ કલાકે કટાક્ષ સાંજી અને તમે શ્રેષ્ઠ છો નાટિકાનું આયોજન તેમજ સાંજના ૦૭.૦૦ કલાકે  ૧૬મીએ સવારે૭:૦૦ કલાકે મંડપ મુહૂર્ત, અરિહંત કી અદાલત નાટિકા અને દીક્ષાર્થીઓના ભાઈઓના હાથે  અંતિમ સ્નેહ બંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દીક્ષાર્થીઓ પોતાનાં ભાઈની કલાઈ પર અંતિમવાર રાખી બાંધશે. સાથે, ઉપકરણ વંદનાવલીઅને સાંજીનું આયોજન કરવામાંઆવ્યું છે. સાંજના૭:૦૦ કલાકે ૧૮ પાપસ્થાનક સંવેદન અને લુકએન લર્નના૪૦થી પણ વધારે બાળકો દ્વારા ‘સજા ટ/જ મઝા’ ભવ્ય નાટિકાનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૭મીએ સવારે૭:૦૦ કલાકે ધર્મનો જયનાદ કરતી શાસન પ્રભાવના શોભાયાત્રાનો પ્રારંભ, ૪૧ એલગીન રોડ, નીલકમલ એપાર્ટમેન્ટ, મનીષાબેન માલાણીના આવાસ સ્થાનથી થશે. શોભાયાત્રા બાદ સંયમ સાધના ધામમાં, માતૃ – પિતૃ વંદના, સંબંધોની રીયાલીટી નાટિકા તેમજ દીક્ષાર્થીઓનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો છે.

૩ મુમુક્ષુઓનો સંસારનો અંતિમ દિવસ, એટલે ભાગવતી જૈન દીક્ષા દિવસ.૧૮.૧૧.૨૦૧૯, સોમવાર, સવારે ૦૭:૦૦ કલાકે દીક્ષાર્થીઓની એમના સંસાર ગૃહેથી પ્રારંભ થએલી ‘મહાભિનિષ્ક્રમણ યાત્રા’ બાદ સવારનાં ૮:૦૦ કલાકે ત્રણ મુમુક્ષુ આત્માઓને સંસાર સાગરથી ઉગારતા ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૧૪ નવેમ્બર થી ૧૮ નવેમ્બર સુધી મહોત્સવનાં દરેક કાર્યક્રમ સંયમ સાધના ધામ, નોર્ધન પાર્ક, કોલકાતા ખાતે રાખવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.