Abtak Media Google News

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકોટમાં આગમન થનાર છે. ત્યારે રાજકોટ શહેરને સાજ શણગાર કરવામાં આવ્યા છ શહેરનાં મુખ્ય સર્કલોમાં વડાપ્રધાન મોદીના વિશાળકાય પોસ્ટર કટીંગ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જીલ્લા કલેકટર કચેરી, મહાનગરપાલિકા કચેરી, બહુમાળી ભવન, ચૌધરી હાઇસ્કુલ સર્કલ, આલ્ફ્રેડ હાઇસ્કુલ સહીતના સ્થળોએ આકર્ષક લાઇટીંગ ગોઠવવામાં આવ્યું છે.

આ ઉપરાંત જયુબેલી ગાર્ડન પાસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિશાળ કાય ચશ્મા મુકવામાં આવ્યા છે. આ સાથે ગાંધીજી તેમજ તેમની પાછળ ચાલતા બાળકોના પોસ્ટર્સનું કટીંગ મુકવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી શહેર રોશનીથી ઝગમગી ઉઠયું છે. દરરોજ શહેરીજનો આ આકર્ષક નજારો માણવા મોટી સંખ્યામાં બહાર ઉમટી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.