Abtak Media Google News

બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમદાવાદની શેલ્બી હોસ્પિટલનું આયોજન: જૈન અગ્રણીઓ ‘અબતક’ની મુલાકાતે

રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મ.સા.ના જન્મદિવસ નિમિત્તે ૩૦મીએ ડુંગર દરબારમાં માનવતા મહોત્સવ ઉજવાશે

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને શેલ્બી હોસ્પિટલ અમદાવાદ દ્વારા આગામી ૨૨મીએ અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે સ્વાસ્થ્ય જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાશે. આ સાથે ૩૦મીએ રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મ.સાનાં જન્મદિવસે ડુંગર દરબારમાં માનવતા મહોત્સવ ઉજવવામાં આવશે. બંને કાર્યક્રમોની વિગત આપવા ચંદ્રકાંતભાઈ શેઠ, મયુરભાઈ શાહ, સુજીતભાઈ શેઠ, મયુરભાઈ શાહ, સુજીતભાઈ ઉદાણી, નરેન્દ્રભાઈ દોશી અને સંતુરભાઈ દેસાઈએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

અમદાવાદમાં કર્ણાવતી કલબની સામે આવેલ શેલ્બી હોસ્પિટલ અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે જયુબેલી સર્કલ પાસે આવેલા અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે આગામી તા.૨૨ને શનિવારે બપોરે ૩.૩૦ થી સાંજે ૬.૩૦ સુધી સ્વાસ્થ્ય જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં શેલબી હોસ્પિટલના ઘૂંટણ અને થાપાના નિષ્ણાંત ડો. આશિષ શેઠ, કેન્સરનાં નિષ્ણાંત ડો. ભાવેશ પારેખ, ઓબેસીટી રોગના નિષ્ણાંત ડો. દિગ્વિજયસિહ બેદી અને જનરલ સર્જન ડો.અંકુર પટેલ માર્ગદર્શન આપશે. વધુ માહિતી માટે ૯૫૧૨૦ ૦૮૧૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત અમીન રોડ જંકશન, ૧૫૦ રીંગરોડ ખાતે આવેલા ડુંગર દરબારમાં રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના ૪૮માં જન્મદિવસે માનવ મહોત્સવ યોજવામાં આવશે. જેમા સવારે ૮.૪૫ વાગ્યે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.