Abtak Media Google News

આદી જાતી વિકાસ બોર્ડમાં પ્રસંશનીય કામગીરી બદલ જામનગર જીલ્લાનો હવાલો સોંપાયો

જામનગર જીલ્લાનાં નવા કલેકટર તરીકે રવિશંકરની નિમણુંક કરવામાં આવી છે. કુલ પાંચ આઈએએસ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. શુક્રવારે મોડેથી બદલીનાં ઓર્ડરો કરવામાં આવ્યા હતા.અહી ખાસ ઉલ્લેખનીય છે કે આદી જાતી વિકાસ બોર્ડના કમિશનર તરીકે રવિ શંકર ફરજ બજાવતા હતા. તેમની પ્રસંશનીય કામગીરીને ધ્યાને લઈને તેમને જામનગર જિલ્લા કલેકટર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે.

આ સિવાય અન્ય ચાર અધિકારીઓમાં ગુજરાત ઈન્ફોર્મેટિકસ લિમિટેડના મેનેજીંગ ડાયરેકટર પદે સંધ્યા ભૂલ્લર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનાં ચીફ એકિઝકયુટિવ ઓફિસર તરીકે એસ. ચાકછૌક અને ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ ડેવલપેમન્ટ રેસીડેન્ટ એજયુકેશન ઈન્સ્ટીટયુશન્સ સોસાયટીનાં એકઝીકયુટીવ ડાયરેકટર પદે જી.ટી. અખાણીની નિમણુંક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.