Abtak Media Google News

ધોરાજીના જેતપુર રોડ પર આવેલ સંજય ખાંડસરી નજીક શ્રમિક યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવવાના બનાવમાં પોલીસે બે શકમંદને ઉઠાવી આકરી પુછપરછ હાથ ધરી છે.ચોર સમજીને ઢીમઢાળી દીધાની દિશામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.પોલીસમાંથી વિગત મુજબ ધોરાજીના જેતપુર રોડ પર આવેલી સંજય ખાંડસરી પાછળ નરશી દામજી કોયાણી ની વાડીમાં લોહી લુહાણ હાલતમાં પુરુષની લાશ પડી હોવાની પોલીસને માહીતી મળતા ઇન્ચાર્જ પી.આઇ. જે.બી. મીઠાપરા, અને રાઇટર ચંદ્રસિંહ સહીતનો સ્ટાફ દોડી જઇ મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક મુળ છોટાઉદેપુર પંથકના સિલીપાવર બારી ફળીયા ગામનો રાયશીંગભાઇ સુમલાભાઇ ધાણાક નામનાો ૩પ વર્ષીય યુવાન અને હાજ અરવિંદ ઓઇલ મીલમાં મજુરી કામ કરતો હોવાની ઓળખ થતા તેના પરિવારજનોને સોંપ્યો હતો.પોલીસે મૃતકના પત્ની ભીમીબેનની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી જેમાં બે શકમંદોને ઉઠાવી પ્રાથમીક પુછપરછ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.