Abtak Media Google News

હળવદ પંથકમાં મેઘરાજા સતત કહેર વરસાવી રહ્યા છે.વરસાદને પગલે બ્રાહ્મણી-૧ ડેમ ઓવરફ્લો થયો છે.અને હાલ ચાર હજાર થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે બ્રાહ્મણી-૨ ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલાયા છે જેના પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જ્યારે મામલતદાર અને ટીડીઓની ટીમ વરસાદની સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહી છે.

હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી એકધારો વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ ખેડૂતો માટે મુસીબત બનીને વરશી રહ્યો છે.હળવદ પંથકના ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાં કપાસ અને મગફળી તથા તલનો ઉભો પાક લહેરાતો હતો.તેમાં વરસાદે ખેડુતોઓની આશા પર પાણી ફેરવી દીધું છે.મગફળી અને કપાસનો પાક નાશ પામ્યો છે.તૈયાર પાક વરસાદમાં નાશ થતા ખેડૂતોની કફોડી હાલત થઈ ગઈ છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.જ્યારે વરસાદને પગલે હળવદનો બ્રાહ્મણી -૧ ડેમ ઓવરફ્લો થયો છે અને બ્રાહ્મણી-૨ ડેમના ૫ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે.જેના પગલે નીચાણવાળા ગામો ગોલાસણ, શીરોઇ, સુંદરગઢ, સૂર્યનગર, મેરૂપર, ટિકર, માનગઢ, સુસવાવ, કેદારીયા, પાડાતીર્થ, ધનાળા, માયુરનગર, રાયસંગપુરને એલર્ટ કરવામાં આવ્યા છે. હળવદ પંથકમાં વરસાદને પગલે મામલતદાર વિ.કે. સોલંકી અને ટીડીઓ રાવલ સહિતની ટીમ ખડેપગે રહી છે અને વરસાદની સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે.હળવદમાં નવરાત્રીને લઈને પોલીસ સહિતના દ્વારા ઘણી જગ્યા ઓ પર  ગરબીના અયોજનો થયા છે અને ખૈલૈયાઓ એક માસથી રાસ ગરબે રમવા માટે પ્રેક્ટિસ કરતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.