Abtak Media Google News

પાટડી ઉદાસી આશ્રમે મંગળવારે ઉજવાશે ગુરૂપૂર્ણિમા પર્વ

૧૬મીએ ગૂરૂપૂર્ણિમાના પાવન પર્વે પરમ પૂજય સંત શિરોમણી શ્રી જગાબાપાના સમાધિના સાનિધ્યમાં પૂ. ભાવેશબાપુ આપશે આશિર્વચન

સિતારામ પરિવારના સેવકોને ધર્મોત્સવનો લાભ લેવા નિમંત્રણ: સાંજે મહાપ્રસાદ અને રાત્રે સંતવાણીમાં ખ્યાતનામ કલાકારો કરશે જમાવટ

મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર ગુરૂનું સ્થાન વિશિષ્ટ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરૂનું હોવું અતિ આવશ્યક છે. ગુરૂબિન નહી જ્ઞાન, ગુરૂ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. આગામી મંગળવારે ગુરૂપૂર્ણિમાનો પાવન પર્વ હોય ઉદાસી આશ્રમ પાટડી ખાતે ગૂરૂપૂર્ણિમાની ભવ્યાતી ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. આ ધાર્મિક અવસરે પાટડીમાં ગૂરૂભકિતમય માહોલ છવાશે. પરમ પૂજય સંત શિરોમણી બ્રહ્મલીન જગાબાપાના સમાધિના સાંનિધ્યમાં અને પૂ. ભાવેશબાપુના આશિર્વચનથી ૧૬મીએ ગૂરૂપૂર્ણિમા પ્રસંગની ઉજવણી કરાશે.

ગૂરૂ શબ્દમાં જ ગુરૂનો મહિમા સમાયેલો છે. ‘ગુ’ એટલે અંધકાર અને ‘ર’ એટલે પ્રકાશ, શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દિપક પ્રગટાવનાર ગુરૂ એક જીવનશિલ્પી મહાપુરૂષ છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે. ગુરૂ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે. આપણા પ્રમાણોમાં ગુરૂનું મહાત્મય ખૂબજ વર્ણવ્યું છે. હિન્દુ ધર્મમાં ગુરૂને ભગવાનનો દરજજો આપવામાં આવ્યો છે. કહેવાય છે કે, ‘ગુરૂ ગોવિંદ દોનો ખડે કિસ કો લાગુ પાય, બલીહરી ગુરૂ આપકી, ગોવિંદ દિયો બતાય’ અર્થાત્ ગુરૂની મહત્તા ગોવિંદ કરતા વધારે છે.

Gururbrahma-Gururvishnu-Gurudev-Maheshwar-Guru-Shakshat-Parabrahman-Tasmei-Shri-Guruva-Nam
gururbrahma-gururvishnu-gurudev-maheshwar-guru-shakshat-parabrahman-tasmei-shri-guruva-nam

સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહી સમગ્ર દેશમાં બહોળો આસ્થાનો વર્ગ ધરાવતા ખારાઘોડા પાટડી ઉદાસી આશ્રમના બ્રહ્મલીન મહંત પૂ. જગાબાપાના સમાધિ સ્થાન ઉદાસી આશ્રમ ખાતે પૂ. ભાવેશબાપુના આશિર્વચનથી આગામી તા.૧૬ને મંગળવારે ગૂરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૬મીએ પ્રાંત:કાળ ઉદાસી આશ્રમના સંત શિરોમણી બ્રહ્મલીન પૂ. જગાબાપાના સમાધિ સ્થાનનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ ઉદાસી આશ્રમના ગાદીપતી પૂજય ભાવેશબાપુ દ્વારા ગૂરૂપૂજન અને સમાધી પૂજનના કાર્યક્રમ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.

આખો દિવસ ચાલનારા આ ધર્મમય માહોલમાં પૂ. ભાવેશબાપુનું ગુરૂપૂજન સેવક્ગણ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ સાંજે મહાપ્રસાદ અને રાત્રે યોજાનારા સંતવાણીના ડાયરામાં મેરૂભાઈ રબારી (મોજીલો માલધારી), જયમંત દવે (ભજનીક), દડુભા (આશ્રમના કવીરાજ), શિવરાજ ગઢવી (ભજનીક), મહેશદાન ગઢવી (ભજનીક), નવીન ભાટી (ભજનીક), રૂષભ આહિર (મોજી રમકડુ), હરી ગઢવી (ભજનીક), વાઘજીભાઈ રબારી (સાહિત્યકાર), નવીન મહારાજ (ભજનીક), કુશા મહારાજ (સાહિત્યકાર), સહિતના કલાકારો દ્વારા યોજાનાર લોકડાયરાનું સંચાલન રમેશદાન ગઢવી કરશે.

Gururbrahma-Gururvishnu-Gurudev-Maheshwar-Guru-Shakshat-Parabrahman-Tasmei-Shri-Guruva-Nam
gururbrahma-gururvishnu-gurudev-maheshwar-guru-shakshat-parabrahman-tasmei-shri-guruva-nam

આ લોકડાયરામાં સંગીતના સાંજીદા હરેશભાઈ (બેન્જો માસ્ટર), મુન્ના મહારાજ (તબલચી), જયસુખ સાધુ (તબલચી), અને વાઘુભા ઝાલા ( મંઝીરાના માણીગર) સહિતના કલાકારો લોક સાહિત્યનો રસથાળ પીરસશે. ગૂરૂપૂર્ણિમાંની ઉજવણીમાં સીતારામ પરિવારના સેવકોને ધર્મોત્સવનો લાભ લેવા પૂ. ભાયવેશબાપુએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.