Abtak Media Google News

અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુગાદી શ્રીવડવાળા મંદિર દુધરેજ ખાતે અષાઢ સુદ પૂનમ તારીખ ૫ ,૭ ,૨૦૨૦ રવિવારના રોજ વાતો ઉજવાતો ગુરુપૂર્ણિમા મહોત્સવ મંદિર  દ્વારા બંધ રાખવાની જાહેરાત કરાઇ છે

રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ તે હેતુથી કાનફુકવાના કે ગુરુધારણા કાર્યક્રમ બંધ રાખવાની એક યાદીમાં જણાવાયું છે. તેમજ કોરોના મહામારી  દેશ દુનિયામાંથી સંપૂર્ણ નાબુદ થાય તે માટે શ્રી વડવાળા ભગવાન ના જાપ કરવા પ.પુ.શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી કનીરામ બાપુ ગુરુ કલ્યાણદાસજી બાપુ તથા કોઠારી સ્વામી મુકુંદરામ બાપુ એ જણાવાયું છે. ત્યારે દુધરેજ ના વડવાળા મંદિર માં પાંચ સાત ૨૦૨૦ ના રોજ ઉજવાતો ગુરુ પૂર્ણિમાનો તહેવાર આ વર્ષે કોરોનાવાયરસ ને ધ્યાનમાં લઇ અને ઉજવણી હાલમાં મોકૂફ રાખવામાં આવ્યું હોવાનું મુકુંદ સ્વામી ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે ત્યારે કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા ખાસ કરીને હાલમાં ઝાલાવાડમાં કોરોનાવાયરસ ના કેશો દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે ત્યારે લોકોને પોતાની સલામતી અને બને ત્યાં સુધી ઘરમાં રહેવાની અપીલ પણ કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.