નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલીત વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં. ૯૩ નાં આચાર્યા વનિતાબેન રાઠોડને પોરબંદર ખાતે પૂજ્ય આદરણીય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં હસ્તે ગુરુ પૂર્ણીમાની પૂર્વ સંધ્યાએ સન્માનિત કરાયા હતા. વનિતાબેન રાઠોડને શાળામાં કરેલ ઈનોવેટીવ કાર્ય બદલ સાંદિપની દ્વારા ભાવપૂજન કરાયું. પરમવંદનિય પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી માનનિય ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પદ્મ અનિલ ગુપ્તા, શિક્ષણવીદ ગિજુભાઈ ભરાડ વગેરેની હાજરીમાં સાંદિપની ગુરુગૌરવ એવોર્ડ અર્પણ કરાયો. વનિતાબેન રાઠોડ છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય કક્ષાનાં ઈનોવેટીવ શિક્ષક તરીકે પસંદ થયા છે. સાંદિપની ગુરુ એવોર્ડ મળ્યા બદલ શાશનાધિકારી દેવદતભાઈ પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર, કેળવણી નિરીક્ષક ડો.પૂર્વીબેન ઉચાટે વનિતાબેન રાઠોડને અભિનંદન પાઠવ્યા.
Trending
- આલિયા ભટ્ટની સુંદરતામાં મોંઘેરા ઘરેણાં અને સાડીએ ચાર ચાંદ લગાવ્યા
- અદિતિ રાવ હૈદરી પછી, તાપસી પન્નુએ તેની વીંટી બતાવી ઈશારો કર્યો
- શહેનાઝ ગિલની આંખોના કાજલે અને ચહેરા પરના સ્મિતએ મનળા મોહી લીધા…..
- સ્ટાઇલિશ આઇકોન સુરેશ રૈનાનો સુપર લુક
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!