Abtak Media Google News

સોના ચાંદીના વેપાર ઉપર કઈ અસરો થશે તે અંગે સીએ શરદભાઈ અનડા સહિતના તજજ્ઞો આપશે માર્ગદર્શન

સુવર્ણકાર એકતા સમિતિ દ્વારા સુવર્ણકારો માટે આવતીકાલે સાંજે ૫ કલાકે સોની સમાજની વાઘેશ્ર્વરી વાડી, રામનાથપરા મેઈનરોડ ખાતે જીએસટી અંગે માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેની વિગત આપવા સમિતિનાં હોદેદારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

જીએસટીના નવા કાયદાની સોના ચાંદીના વેપાર ઉપર કઈ અસરો થશે તેનો ખ્યાલ સુવર્ણકારોને આવે તે હેતુથી આ સેમીનારનું આયોજન કરાયું છે. કરવેરા સી.એ. શરદભાઈ અનડા સહિતના તજજ્ઞો દ્વારા સોના ચાંદીનું ખરીદ વેચાણ, કરવેરાના દર, ટેકસની ક્રેડીટ કઈ રીતે મળશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. વેપારીઓને મુઝવતા પ્રશ્ર્નો આજ સુધીમાં સમિતિનાં કાર્યાલય ખાતે લેખીતમાં પહોચાડવાના રહેશે વધુ વિગત માટે અરવિંદભાઈ પાટડીયા મો.નં. ૯૩૭૪૮ ૩૬૫૩૦ નો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.