Abtak Media Google News

દાહોદથી ભાગીને આવેલા  યુવક-યુવતીને પરિવારજનો જોઇ જતા સજોડે કર્યો આપઘાત

ધારી તાલુકાના નબાપરા ગામની સીમમાં ખેત મજુરીનું કામ કરતા દાહોદ પંથકના યુવક યુવતિ વચ્ચે પ્રેમ સંબંધ હોય અને વતનમાંથી ભાગીને અહી આવ્યા હોય પરિવાર બન્નેને શોધવા વાડીએ આવી પહોચતા આ યુવક યુવતિએ દોડીને કુવામાં ઝંપલાવી દીધું હતું. જેના પરીણામે બન્નેનું ડૂબી જવાથી મોત થયું હતું. દાહોદ જીલ્લાના કંથાગરા ગામના કલ્પેશ નાનજીભાઇ બારૈયા (ઉ.વ.ર૭) અને લક્ષ્મી મોહનભાઇ રંગજીભાઇ (ઉ.વ.ર૦) વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. આ બન્ને પ્રેમીઓ લગ્ન કરવાના ઇરાદે વતનમાંથી નાસી ગયા હતા. અને ધારીના નબાપરાની સીમમાં આવી એક વાડીમાં ખેતમજુર તરીકે કામે લાગી ગયા હતા.

આ બન્નેનો પરિવાર તેમને શોધવા નીકળ્યો હતો. બન્ને નબાપરાની સીમમાં આવી એક વાડીમા ખેત મજુર તરીકે કામે લાગી ગયા હતા.

આ બન્નેનો પરિવાર તેમને શોધવા નીકળ્યો હતો. બન્ને નબાપરાની સીમમાં હોવાની જાણ થતાં પરિવાર ત્યાં પહોચ્યો હતો જો કે પ્રેમીપંખીડા પરિવારજનોને જોઇને સીધી જ દોટ મુકી હતી અને બન્નેએ કુવામાં ઝંપલાવી દીધું હતુ બન્નેના પાણીમાં ડુબી જવાથી મોત થયાનું પોલીસે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.