Abtak Media Google News

કેશોદમાં ચકલી માળાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં બોડી ગામના ખેડુત પાંચ વર્ષથી તુંબડાનું વાવેતર કરી ચકલીના માળા બનાવી વિતરણ કરે છે. માળીયા હાટીના તાલુકાના બોડી ગામે તુલસીબાગ અને નર્સરી ધરાવતા એસટીના નિવૃત કર્મચારી અને ખેડુત જેરામભાઈ ધ્રાંગડ પાંચ વર્ષથી તુંબડાનું વાવેતર કરી ચકલીના માળા બનાવી નહીં નફો નહીં નુકસાનીના ધોરણે કેશોદમાં દર વર્ષે ચકલીના માળાનું વિતરણ કરે છે સાથે ચકલી બચાવ અભિયાનને પણ પ્રોત્સાહન મળે તેવા હેતુથી તુંબડાનું વાવેતર કરી ચકલીના માળાનું વિતરણ કરે છે. હાલમાં કેશોદના પોસ્ટ ઓફિસ સામે આ માળા વિતરણ ચાલુ હોય જેનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. આમ આ માળા વિતરણનું સાચો અર્થ તો ચકલી બચાવ માટે વિવિધ સંસ્થાઓ કરી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.