Abtak Media Google News

લીલીડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે, તેને કાચી ખાઈ શકાય છે. વિવિધ રીતે રાંધવામાં પણ આવે છે. લીલી ડુંગળીમાં ઉચ્ચ પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી 2, વિટામિન કે, કોપર, મેગ્નેશિયમ, ક્રોમિયમ, ફોસ્ફરસ અને ઉચ્ચ માત્રામાં ફાઇબર શામેલ છે. તો ચાલો જાણીએ લીલીડુંગળી ખાવાથી શું ફાયદા થાય છે…

રોગપ્રતિકારક શક્તિ વધે છે

લીલી ડુંગળી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સામાન્ય રીતે શરદી અને એલર્જી ઠંડીમાં તીવ્ર બને છે, પરંતુ જો લીલીડુંગળીને આહારમાં શામેલ કરવામાં આવે તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

દમથી મુક્તિ મળે છે

અસ્થમા ધરાવતા લોકો માટે લીલીડુંગળીનું સેવન ફાયદાકારક છે. કારણ કે, એન્ટિહિસ્ટેમાઈન્સ જેવા પૌષ્ટિક તત્વો લીલા ડુંગળીમાં જોવા મળે છે. જે અસ્થમાની સમસ્યાને દૂર કરે છે અને ફેફસાં માટે પણ ફાયદાકારક છે.

શરદી અને ફ્લૂથી બચાવવામાં મદદગાર

લીલીડુંગળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણથી ભરપુર છે, જે વાયરલ તાવ અને ફલૂ સામે લડવામાં પણ અસરકારક છે, સાથે સાથે શરીરમાં કફની સમસ્યાથી પણ બચી જવાય છે.

ડાયાબિટીઝને રાખે છે નિયંત્રણ

લીલીડુંગળીમાં ક્રોમિયમની માત્રાને લીધે તે આપણા લોહીમાં સુગરનું સ્તર નિયંત્રિત કરે છે અને સાથે જ તે ગ્લુકોઝનીં માત્રા પણ સુધારો કરે છે.

હૃદય માટે ફાયદાકારક

ડુંગળીમાં જોવા મળતું વિટામિન સી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. જે હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઘટાડે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી હ્રદય સંબંધી રોગોનું જોખમ ઓછું થાય છે.

કેન્સરનું જોખમ ઘટે છે

લીલીડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોવાને કારણે તે કેન્સરનું જોખમ ઘટાડે છે. આ ડુંગળીમાં પેક્ટીન મીઠું તત્વ હોય છે, જે એક પ્રકારનું પ્રવાહી કોલાઇડલ કાર્બોહાઇડ્રેટ છે જે પેટના કેન્સરને રોકવામાં મદદ કરે છે.

આંખોનું તેજ વધારવા ફાયદાકારક

વિટામિન એ ની પુષ્કળ માત્રાને લીધે લીલીડુંગળી આંખોનું તેજ વધારે છે અને આંખોની કોઈપણ પ્રકારની સમસ્યાથી રાહત આપે છે. લીલીડુંગળી આંખોની આસપાસની કરચલીઓ પણ દૂર કરે છે.

કોલેસ્ટરોલને નિયંત્રિત કરે છે

મોટાભાગના ચિકિત્સકો કોલેસ્ટરોલ ઘટાડવા માટે લીલીડુંગળીનું શાક ખાવાની ભલામણ કરે છે, કેમ કે તેને ખાવાથી કોલેસ્ટ્રોલ અને વજન નિયંત્રણમાં રહે છે.

ડિસ્કલેમર: આ લેખ સામાન્ય માહિતી માટે છે. જો તમે કોઈ રોગથી પીડિત છો, તો ઉપચાર અપનાવતા પહેલા ડ તબીબની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.