Abtak Media Google News

તડામાર તૈયારીઓ; રાજયના મંત્રીઓ, બોર્ડ-નિગમના ચેરમેનો, યુનિવર્સિટીના કુલપતિઓ સહિતના મહાનુભાવો દિકરીઓને આશિર્વચન આપશે

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી રૂ ક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા આગામી તા.૨૧ અને ૨૨ ડિસે.ના રોજ માતા પિતા વિહોણી અને પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૨ ગરીબ પરિવારની દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ રાજકોટને આંગણે યોજાનાર છે. જેની તડામાર તૈયારીઓ સંસ્થા દ્વારા ચાલી રહી છે. ગત સાલ ૨૦૧૮માં રાજકોટના આંગણે આ ભવ્ય લગ્નોત્સવ યોજાયેલ હતો જે ટોક ઓફ ધ સૌરાષ્ટ્ર બન્યો હતો. ચાલુ સાલ પણ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા ફરી એક વખત નીરાધાર ૨૨ દીકરીઓનાં લગ્ન કરવા દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ જઈ રહી છે.રાજકોટ શહેરના શ્રેષ્ઠીઓનું બનેલ માર્ગદર્શન મંડળ મૌલેશભાઈ ઉકાણી, વલ્લભભાઈ સતાણી, શિવલાલભાઈ આદ્રોજા, પ્રતાપભાઈ પટેલ, ડો. નિદત બારોટ, ધીરૂ ભાઈ રોકડ, મનીષભાઈ માદેકા, વેજાભાઈ રાવલીયા, સુરેશભાઈ નંદવાણા, પરેશભાઈ ગજેરા, વિઠલભાઈ ધડુક, અરવિંદભાઈ દોમડીયા, હરીશભાઈ લાખાણી, જીતુભાઈ બેનાણી, રમેશભાઈ ટીલાળા, ભુપતભાઈ બોદર, રામભાઈ મોકરીયા, ભાવેશભાઈ પટેલ, પ્રશાંતભાઈ લોટીયા, મેહુલભાઈ રૂ પાણી ડી.વી. મહેતા રાજેશભાઈ કાલરીયા, ડો. મયંક ઠકકર, અમીતભાઈ ભાણવડીયા, ખોડુભા જાડેજા, સહિતના મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે માસથી સંસ્થા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

તાજેતરમાં જ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર રૂ બરૂ  જઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂ પાણી રાજયના ગર્વનર દેવવ્રત આચાર્યજી, રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજયના રાજય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ધનસુખભાઈ ભંડેરી બીન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઈ ગજેરા તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વા. ચાન્સેલર નવીનભાઈ શેઠને રૂ બરૂ  મળી વહાલુડીના વિવાહમાં માતા પિતા વિહોણી દીકરીઓને આશિર્વાદ આપવા પધારવા નિમંત્રણ આપેલ જેનો ગર્વનર દેવવ્રત આચાર્યજી સહિત અનેક મહાનુભાવોએ સ્વીકાર કર્યો હતો. અને પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો કોલ આપ્યો હતો.

 

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા સતત બીજા વર્ષે આ ભવ્ય લગ્નોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે સંસ્થાના ૨૫૦થી વધુ કાર્યકર્તા ભાઈઓ બહેનો રાત દિવસ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના મુકેશભાઈ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટ આદ્રોજા, ઉપેનભાઈ મોદી, કિરીટભાઈ પટેલ, સુનીલભાઈ મહેતા, અશ્ર્વીનભાઈ પટેલે હેમલ મોદી, પ્રવિણભાઈ હાપલીયા, સહિતનું પ્રતિનિધિ મંડળ મહાનુભાવોની મુલાકાતે જોડાયા હતા.

વહાલુડીના વિવાહને યશસ્વી બનાવવા સંસ્થાના અનુપમ દોશી, હસુભાઈ રાચ્છ, હરેશભાઈ પરસાણા, રાકેશભાઈ ભાલાળા, ગૌરાંગભાઈ ઠકકર, ડો. શૈલેષ જાની, હરેનભાઈ મહેતા, હરદેવસિંહ જાડેજા સહિતના મહાનુભાવો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.