Abtak Media Google News

મંદિર પરિસરમાં ભાવિકો માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગીર સોમનાથ જિલ્લાનાં પ્રવાસે આવ્યા હતા. રાજ્યપાલએ સોમનાથ મંદિર ખાતે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ મંદિર પરિસરમાં યાત્રિકો માટેની સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી વિવિધ સુવિધાનું પણ નિરીક્ષણ કર્યું હતું. મંદિર પરિસરની મુલાકાતની સાથે-સાથે રાજ્યપાલએ સાગર દર્શન પણ કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો નું પણ આયોજન કરવામાં આવે છે.  રાજ્યપાલએ સોમનાથ મંદિરનો ઇતિહાસ અને સોમનાથની સાંસ્કૃતિક વિરાસત રજૂ કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. આ વેળાએ સોમનાથ મંદિર ખાતે આવેલા  દર્શનાર્થીઓ પણ સહભાગી થયા હતા. રાજ્યપાલના ગીર સોમનાથના આ પ્રવાસ દરમિયાન રાજભવન ના અધિકારીઓ, કલેકટર, એસ.પી, ડીડીઓ અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.