Abtak Media Google News

ગુજરાતવાસીઓને દિવાળી અને નુતન વર્ષની શુભકામના પાઠવી

ગુજરાચતના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રત યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થે પધાર્યા હતા.  તેઓએ સવારે સપરિવાર દ્વારકાધીશ જગતમંદિરે પધારી ઠાકોરજીના દર્શન કર્યા હતા તેમજ શ્રીજીની પાદુકાનું પુજન પણ કર્યુ હતું. દિપાવલીના તહેવારો આવતા હોય સમગ્ર ગુજરાતવાસીઓની દિપાવલી તેમજ નવ વર્ષ શુભ નિવડે તેવી ઠાકોરજી પાસે પ્રાર્થના કરી હતી. તેમની સાથે પૂજારી શંભુભાઇ તેમજ પંડાગણ ઉ૫સ્થિત રહ્યો હતો અને જગતમંદિરનું મહત્વ તેમજ મંદીર પટાંગણમાં આવેલ મંદીરો પટાંગણમાં આવેલ મંદિરો અને તેમના ઇતિહાસ વિશે માહિતગાર કર્યા હતા. જગતમંદિરે દર્શન કર્યા બાદ તેઓ ઓખા ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.