Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ખાતે તા. ૮-૨ ના રોજ   સવારે ૧૦:૩૦ કલાકે નિર્વાચન આયોગના પૂર્વ મુખ્યસચિવ અને તિરુપતિ વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ એન. ગોપાલસ્વામીના હસ્તે ‘સેન્ટર ફોર સ્પોકન સંસ્કૃત’ નો શુભારંભ થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષપદે હાજર રહેશે. સમારંભમાં મુખ્ય અતિથી તરીકે સંસ્કૃત પ્રમોશન ફાઉન્ડેશન, દિલ્હીના ડાયરેક્ટર પ્રો. ડો. ચાંદકિરણ સલુજા ઉપસ્થિત રહેશે. પ્રો. ગોપાલબંધુ, ડો. ગીરીશ ઠાકર સહીત જુદીજુદી સંસ્કૃત વિદ્યાલય સાથે સંકળાયેલા મહાનુભાવો- નિષ્ણાંતો અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સંસ્કૃત ભવનના પ્રો. ડો. રાજા કાથડ, પ્રો. એમ. કે. મોલીયા તેમજ કુલ સચિવ ડો. ધીરેન પંડ્યાએ આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.